SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ') ૧૭૩ કાથગોદામથી બારી પાસ ના નામે ઓળખાતા નૈનીતાલ નજીકના પ્રદેશોમાં અંગ્રેજી લશ્કર અવારનવાર પસાર થતું હતું.. પણ આ સુંદર સરોવરના અસ્તિત્વની કોઈને ખબર નહોતી, કારણ કે, આ બાજુના પહાડી લોકો નયની અથવા નારાયણી દેવીના આ એકાન્ત નિવાસને અતિ પવિત્ર લેખતા હતા અને તેથી આ સ્થાન પરદેશીઓનાં પગલાંથી દૂષિત થાય એમ તેઓ ઇચ્છતા નહતા. આ પહાડીઓ અને તેમના આગેવાનો પણ વરસના માત્ર એક જ દિવસે–વિજ્યાદશમીએ-અહીં નયના દેવીનાં દર્શન કરવા માટે આવતા હતા. આગલા દિવસની રાત્રે શેર–કા-દડાની ટેકરી ઉપર આ બધા લકે રંગબેરંગી પોશાકમાં સજજ થઈને આવતા હતા અને એકઠા થતા હતા. બીજે દિવસે એટલે કે વિજયાદશમીની સવારે તેઓ ગાતા–વગાડતા ધામધૂમપૂર્વક નીચે આવતા, સરોવરના પવિત્ર જળમાં સ્નાન કરતા અને જરૂરી પૂજાવિધિ પતાવીને તેમ જ દેવીના ચરણે જે કંઈ ધરવાનું હોય તે ધરીને સાંજના વખતે સૌ કઈ પિતપોતાના ઘર તરફ પાછા ફરતા હતા. પછી બાકીનું આખું વર્ષ આ ખીણ રાની પશુઓનું સ્વભાવિક નિવાસસ્થાન બની જતું. ૧૮૪૧ નવેંબર માસની એક સવારે શ્રી બેરન નામનો શાહજહાનપુરનો એક અંગ્રેજ વેપારી, આ સરોવરની હસ્તીની તેને ખબર મળતાં, આ બાજુએ આવી ચડયો. અહીનું ભવ્ય રષ્ટિસૌન્દર્ય જોઈને તે સ્તબ્ધ બની ગયો, અને “આગ્રા અખબારના તંત્રીને તેણે જણાવ્યું કે હિમાલયના ૧૫૦૦ માઈલના પરિભ્રમણ દરમિયાન મેં જે કાંઈ જોયું હતું તે કરતાં અનેકગણું ચડિયાતું એવું આ દશ્ય હતું. તેને ત્યાં એક દર્શન થયું, જે તેના પિતાના શબ્દોમાં રજૂ કરવું વધારે ઉચિત લેખાશે. “સરેવરના આ છેડેથી લગભગ એક માઈલ ઉપર આવેલા બીજા છેડા સુધી કેટલીક સપાટ જમીન છે અને કેટલીક ઊંચી-નીચી ટેકરાટેકરીવાળી જમીન છે કે જેના ઉપર લીલું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy