SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ કાળથી આ પ્રદેશને કુમાઉ અને ટેહેરી ગઢવાલના પ્રદેશને ઉત્તરા ખંડના નામથી ઓળખવામાં આવે છે. કુમાં પ્રદેશનું પ્રાચીન નામ કૂર્માચળ છે. કુમાઉ શબ્દ કુર્માચળનું અપભ્રંશ રૂપ હોવા સંભવ છે. કૂર્માચળ એટલે કાચબાની પીઠ જેવા જેના પર્વતના આકાર છે. કુમાં પ્રદેશ એટલે નૈનીતાલ અને આભેરા જિલ્લો. તેમાં ભીમતાલ, મુકતેશ્વર, રાણખેત, કૌસાની, વૈજનાથ, બાગેશ્વર, જાગેશ્વર, બીનસર વગેરે સ્થળોને સમાવેશ થાય છે. આ વિભાગમાં આવેલા પર્વતે મોટા ભાગે કાચબાની પીઠ માફક ધીમા ચઢાણઉતરાણવાળા–એકદમ સીધા નહિ એવા–જોવામાં આવે છે, જ્યારે ટેહરી ગઢવાલના પર્વતે એકદમ ઊંચાણવાળા અને સીધા ચઢાણઉતરાવાળા હોય છે. દેહરી ગઢવાલ અથવા ઉત્તરાખંડમાં હરદ્વાર, ઋષિકેશ, ગુતપ્રયાગ, રુદ્રપ્રયાગ, જોશીમઠ, કેદારનાથ, બદરીનાથ, ગંગોતરી, મનેતરી – આવાં પ્રસિદ્ધ હિંદુ યાત્રાનાં સ્થાનકો આવેલાં છે. રામાયણ તેમ જ મહાભારત, શિવપુરાણ વગેરે પૌરાણિક ગ્રંથમાં આ બન્ને પ્રદેશમાં આવેલાં અનેક સ્થળોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે વાલ્મીકી ઋષિને કુમાઉના પ્રદેશે જ આશ્રય આપે હતો અને આ કુમાઉ પ્રદેશમાં રહીને જ તેમણે રામાયણની રચના કરી હતી. અજુને અહીં તપશ્ચર્યા કરી હતી અને પાંડવોએ અનંત શાન્તિ છેવટે અહીં આવીને પ્રાપ્ત કરી હતી. જે વિભાગમાં નૈનીતાલને પ્રદેશ આવેલો છે ત્યાં, કહેવામાં આવે છે કે, પૌરાણિક કાળમાં ગર્ગ ઋષિ રહેતા હતા અને તેથી આ પ્રદેશને ગર્ગાચલ અથવા તે ગાગરના નામથી ઓળખાવવામાં, આવે છે. જૂના ગ્રંથમાં આ જિલાને “ષષ્ટીબેટા ના નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછીખેટા એટલે સાઠ સરેવની ભૂમિ. આ નૈનીતાલ સરોવરનું બીજુ નામ “તીરીરીખ-સરવર હેવાનું જાણવા મળે છે. તેને અર્થ ત્રણ ઋષિઓનું સરોવર એમ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy