SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભનને—અલબત્ત સ્વામી આનંદની અનુમતિપૂર્વક–હું રોકી શકતો નથી. ડે. માયાદાસ વિષે લખતાં તેઓ જણાવે છે કે – નવ વર્ષ અગાઉ અતિ નીચા લેહીના દબાણને કારણે જ્યારથી મારે પહાડોને વસવાટ ફરી એક વાર લેવો પડયો ત્યારથી નૈનીતાલવાળા ભગવદ્ભક્ત માયાદાસ જેકે મારે મહેબત બંધાઈ. અમે બે કે લગભગ એક ઉંમરના, પર્વતપ્રેમી, ઊંચા પહાડનાં ભ્રમણના ઘાયલ. વરસોવરસનાં ભ્રમણ દરમિયાન ચોવીસે કલાકની અમારી ભેરુબંધમાં મને આ ઈશુ ભક્તિપરાયણ, ધર્મનિષ્ઠ ખ્રિસ્તી સજજનમાં દેવદર્શન થયાં. દાક્તર માયાદાસ એટલે આપણે ત્યાંના માજી ગવર્નર સર મહારાજ સિંઘના સગાં. રાજકુમારી અમૃતકોર તે સર મહારાજસિંઘનાં બહેન અને લેડી મહારાજસિંઘ તે દાક્તર ભાયાદાસનાં સગાં બહેન. આપણે ત્યાં ઊંચા ખવાસનાં શિક્ષિત મુસલમાનોમાં જેવાં તૈયબજી–અલી કુટુંબો તેવાં જ પંજાબમાં આ બે જૂનાં, સંસ્કારી ખ્રિસ્તી કુટુંબો અગ્રેસર તરીકે જાણીતાં. ભાઈઓ-બહેનોનું આખું કુટુંબ જેવું દેશાભિમાની તેવું જ ધર્મનિ. ‘દાક્તર માયાદાસ વિદ્યાર્થીકાળે વિલાયતમાં ગાંધીજીના સંપર્કમાં આવેલા. પહેલા વિશ્વયુદ્ધ વખતે વિલાયતમાં ગાંધીજીએ જે એક સેનામથક ઉભું કરેલું, તેમાં જોડાયેલા. માયાદાસ તેમાં થોડો વખત રહ્યા અને લડાઈની ઇસ્પિતાલના અનુભવ લઈ, દાક્તરી પાસ કર્યા પછી સ્વદેશ પાછા આવ્યા. નામાંકિત દાક્તર તરીકે વર્ષો લગી ગુજરાતમાં વસેલા. ધ્રાંગધ્રા, વઢવાણ કાંપ, રાજકોટ વગેરે સ્થળે તેઓ હતા. પાછલાં વર્ષો વહરાનપુર નિનીતાલના હેલ્થ ઓફિસર તરીકે વીત્યાં. રાષ્ટ્રીય આંદોલનના કાળ દરમિયાન પણ એકથી વધુ વેળા ગાંધીજી જોડે એમને મુલાકાત અને ચર્ચા થયેલી. હરિજનસેવા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy