SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧" તેઓ માને છે. અમારે આટલે જ ગાઢ સંબંધ હોવા છતાં ઈસ્પિતાલમાં હું જાઉં અને તેમને મળું ત્યારે “કાં કેમ છો ?' ગરીબોની સેવા બરાબર કરે છે ને ? ” આટલું કહીને મને રવાના કરે અને દર્દીઓને જોવા-તપાસવામાં લાગી જાય—આવી તેમની રીત છે. વળી, ઘરમાં તેમનાં પત્નીનું મગજ કેટલાય સમયથી નબળું છે. આ કારણે ઘર ઉપર તેઓ કેઈને બોલાવતા નથી. તેઓ ખ્રિસ્તી ધર્મના સાચા ઉપાસક છે. ઈશ્વરભક્તિ, પ્રાર્થના અને ગરીબ લોકોની સેવામાં તેમને સઘળા સમય પસાર થાય છે. નિરભિમાન અને નમ્રતાની તેઓ એક મૂર્તિ છે.” ગંગાબહેનની આ વાત ઉપરથી હું તેમને પહેલી વાર મળ્યો ત્યારે બે મિનિટમાં તેમણે મારી સાથેની વાત કેમ પતાવી દીધી, અમને પિતાને ઘેર બોલાવવાની કેમ અનિ છા દર્શાવી, સાંજના સાડા પાંચ થયા અને કેમ ચાલતા થયા તે બધી બાબતનો ખુલાસો થઈ ગયો. હિમાલય એક વિરાટ તીર્થ છે અને ત્યાં જેમ નાનાં-મોટાં અનેક સ્થાવર તીર્થો છે તેવી જ રીતે ત્યાગીઓ, તપસ્વીઓ, યોગીઓ એમ સાધકોના રૂપમાં અનેક જંગમ તીર્થો વસે છે, વિચરે છે. આવી વિશિષ્ટ વ્યક્તિઓમાં કોઈ સંન્યાસીના રૂપમાં તો કોઈ ગૃહસ્થના રૂપમાં નજરે પડે છે. હિમાલયનો આ વિભાગમાં પરિ. ભ્રમણ કરતાં અમે નજરે જોયેલાં નિસર્ગસુંદર સ્થળોનાં તેમ જ પરિચયમાં આવેલાં આવાં જંગમ તીર્થોનાં શબ્દચિત્ર રજૂ કરવાં એ આ લેખમાળાને ઉદ્દેશ છે. ડે. માયાદાસમાં આવા એક જંગમ તીર્થનાં મને દર્શન થયાં. તેમના વિષેની એક પરિચયોંધ સંસ્કૃતિના મે માસના અંકમાં સ્વામી આનંદે ત્રણ દેવતા” એ મથાળાના લેખમાં રજૂ કરી છે. તેમને જરૂરી વિભાગ ડો. માયાદાસ વિષે મેં જે કાંઈ જણાવ્યું છે તેની પરિપૂર્તિરૂપે નીચે ઉતારવાનો ચિં. ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy