SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પ્રબુદ્ધ જીવન’ અને પરમાનંદભાઈ એટલે એક અદ્વૈત. “પ્રબુદ્ધ જીવન ને પરમાનંદભાઈએ ઘડયું તે પરમાનંદભાઈને “પ્રબુદ્ધ જીવને” ઘડયા. જીવનની અંતિમ સાંજ સુધી “પ્રબુદ્ધ જીવનના અંકની તૈયારીમાં રત રહેલા પરમાનંદભાઈનું અક્ષર વ્યક્તિત્વ એટલે “પ્રબુદ્ધ જીવન'. વિનોબા ભાવે, કાકાસાહેબ કાલેલકર કે આચાર્ય રજનીશ-ગમે તેની સાથે વૈચારિક મતભેદ ઊભો થતાં પરમાનંદભાઈ “પ્રબુદ્ધ જીવન’નાં પૃષ્ઠો પર એ મુક્તપણે વ્યક્ત કર્યા વગર રહે જ નહિ. પિોતાની ભૂલ હોય તે તે પણ પ્રબુદ્ધ જીવન માં એટલા જ મુકત મને કબૂલ કરતાં એ ક્યારેય અચકાયા નહતા. પ્રબુદ્ધ જીવન માં પ્રગટ થએલા એમના વિવિધ વિષયો ઉપરના લેખોને એક સંગ્રહ “સત્યં શિવં સુન્દરમ' નામથી ઈ. ૧૯૫૪માં પ્રગટ થયો હતો. તે ઉપરાંત “અહિંસાની અધૂરી સમજણ” જેવી પુસ્તિકાઓ પણ એમણે પ્રગટ કરી છે. તે પહેલાં પૂર્વોકત “આધુનિક જેનું કલાવિહીન ધાર્મિક જીવન” તેમ જ “અંત સમય આસપાસ” જેવાં પ્રકાશને પણ કરેલાં. એમનાં લખાણોમાં વિચારોની વિશદતા, દલીલેની તર્કબદ્ધતા, વિષયનું વૈવિધ્ય અને વિશુદ્ધ વિશ્લેષણ, શિલીની રેચકતા, સુઘડતા અને સ્પષ્ટતા આગળ તરી આવે છે. આ લખાણમાંથી એમનું નિખાલસ, નિર્દેશ અને ન્યાયપ્રિય પત્રકાર તરીકેનું, વિશુદ્ધ વ્યાપક વિચારક તરીકેનું, સ્વતંત્ર બુદ્ધિમાન સ્વાર્થહીન સમુત્કટ સમાજ સુધારક તરીકેનું, દૂરંદેશ, દૃઢ દેશપ્રેમી તરીકેનું, સદાગ્રહી સરળ સાદગીભર્યા સંસારી તરીકેનું અને, આ સહુથી વિશેષ તે, આદનિયતના અભિવાદક આદમી તરીકેનું વ્યક્તિત્વ પ્રગટી રહે છે. “પ્રબુદ્ધ જેન” અને પછીથી “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકેની સફળ કારકિર્દીથી આકર્ષાઈ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી પરમાનંદભાઈને યુગદર્શન” નામક માસિક પત્ર શરૂ કરવાનું સૂચવાયું. એમણે છ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy