SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૫૦ રહ્યો હતો. નીચે ફલેટ ઉપર પહોંચવાને રસ્તે અઢી માઈલ લાંબો હતો. એટલે અમે કમને અહીંથી પાછા ફરવાનો નિર્ણય કર્યો અને લગભગ બે કે અઢી વાગ્યે અમે અમારી હોટેલે પહોંચ્યાં. આજે આશરે સાતેક માઈલનું પરિભ્રમણ કર્યું હતું. ઠીક ઠીક થાક લાગ્યો હતો. ભીમતાલ - બીજે દિવસે બપોરે અમે નૈનીતાલથી ૧૪ માઈલ દૂર આવેલા ભીમતાલ નામનું સરોવર જોવા માટે બસમાં ઊપડ્યા. નૈનીતાલ ડિસ્ટ્રીકટમાં નૈનીતાલ ઉપરાંત આસપાસના પંદર-સત્તર માઈલના ઘેરાવામાં નળ-દમયંતી–તાલ, સાતતાલ, નૌકુચીઆ તાલ, માલવા તાલ, ખુરપા તાલ અને ભીમતાલ એમ બીજાં નાનાં-મોટાં છે સરવરે છે. આ બધાં સરેવરની યાત્રાએ જવાનું શક્ય નહતું. તેથી આ બધામાં જેનું નામ પાંચ પાંડવોમાંના ભીમ સાથે જોડાયેલું છે એવું ભીમતાલ અમે પસંદ કર્યું. ભીમતાલને રસ્તો તૈનાતાલથી સાત માઈલ દૂર ભવાલી થઈને આગળ જતો હતો. વાલીમાં ક્ષયરોગ નિવારણ માટેનું એક મોટું સેનેટોરિયમ છે. ભોવાલીથી એક રસ્તો આભોરા, રાણીખેત તથા કૌસાની તરફ જાય છે. બીજો રસ્ત મુકતેશ્વર લઈ જાય છે. ત્રીજો રસ્તો ભીમતાલી જાય છે. ભીમતાલ સમુદ્ર સપાટીથી ૪પ૦૦ ફીટની ઊંચાઈએ આવેલું છે. એટલે નૈનીતાલથી ભીમતાલ સુધીમાં લગભગ ૨૦૦૦ ફીટનું ઉતરાણ છે. નૈનીતાલની લંબાઈ-પહોળાઈ અનુક્રમે ૪૫૦૦ ફીટ અને ૧૫૦૦ ફિટ છે; જ્યારે ભીમતાલની વચમાં એક નાનો સરખો બેટ છે, જેના ઉપર બગીચો છે. સવારે આ બાજુએ આવનારા પ્રવાસીઓ આ બેટ ઉપર ખાય-પીવે છે અને દિવસને મોટો ભાગ પસાર કરે છે. અમને ભીમતાલ લાવનારી બસ કલાકમાં પાછી ફરવાની હતી. એટલા ટૂંકા ગાળામાં જે જવાય તે જોઈ લીધું, ફરાય તેટલું ફરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy