SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૩૬ એટલે અમે શહેરમાં ગયાં, જમના નદીના કિનારે પહોંચ્યાં. સંજને સમય હતે. સૂર્ય અસ્ત પામવાની અણી ઉપર હતો. એક હઠી કરીને યમુનાના વિશાળ જળપ્રવાહમાં અમે આમતેમ અડધો-પોણો કલાક કર્યા. સાંજના લગભગ સાડા સાત વાગ્યે જમનાજીની આરતી હેડીમાં બેઠાં બેઠાં ઈ. સૂર્ય આથમી ચૂકયો હત; દિવસનાં અજવાળાં સંકેલાઈ રહ્યાં હતાં, ગરમીની માત્રા ઘટવા માંડી હતી. પશ્ચિમ આકાશમાં હજુ પ્રકાશ ટકી રહ્યો હતો. સાયંકાળની સ્તબ્ધતાના કારણે ઊંડી ગંભીરતા અમારાં ચિત્ત ઉપર છવાઈ રહી હતી. આરતીની જ્યોત જળપ્રવાહમાં પ્રતિબિંબિત થતાં વધારે આકર્ષક લાગતી હતી. આરતી પૂરી થઈ. કિનારે આવ્યાં. બજારમાં આવેલા દ્વારકાધીશના મંદિરની ભવ્ય ઈમારત જોઈ. મંદિર બંધ હોવાથી દર્શન શક્ય નહોતાં, એક પરિચિત ગૃહસ્થને ત્યાં, આગળથી નક્કી કર્યા મુજબ, અમે જમી લીધું અને રાત્રીના લગભગ નવ વાગ્યે સ્ટેશને આવ્યાં. બીજે દિવસે (૧૦મી તારીખે) બપોરે અમે કાથગોદામ સુખરૂપ પહોંચ્યાં. ત્યાંથી નૈનીતાલ જવા માટે બસ મળતાં આશરે દોઢ-બે કલાકની વાર લાગી. આખરે બસમાં બેઠાં અને અમારું પર્વતારોહણ શરૂ થયું. કાગોદામથી નૈનીતાલ-પર્વતારોહણનો પ્રારંભ કાથદામથી નીતાલ વચ્ચે ૨૨ માઈલનું અંતર છે અને આખે રતે પાકી ડામરની યા સિમેન્ટની સડક છે. અમારી બસ છેડે આગળ ચાલી અને ઝાડી શરૂ થઈ. બસ ઉપર ને ઉપર આગળ વધવા લાગી. એક બાજુ પર્વત હતા અને બીજી બાજુએ ખીણ હતી, જેમાં સાવ નીચે નદીનો સૂકો વિશાળ પટ દેખાતો હતો અને તેની વચ્ચે આછીપાતળી પાણીની પટ્ટી નજરે પડતી હતી. જેમ જેમ ઊંચે જતા ગયા તેમ તેમ ઉષ્ણતાનો અંશ ઘટતો ગયો અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy