SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ બાળકા સાથે ત્રણ વાર કાશ્મીર ગયાં છે, જે દરમિયાન એક વખત તેમણે અમરનાથની યાત્રા પણ કરેલી. તે ઉપરાંત કુલ વેલીને પ્રદેશ પણ તેમણે જોયા છે. ગયા વર્ષે તેઓ નૈનીતાલ બાજુએ ગયેલાં. હિમાલય જવા–જોવાની મારા દિલમાં રહેલી આતુરતા ધ્યાનમાં લઈને તે આગ્રહ કરી રહ્યા હતા કે આ વખતે મે માસ દરમિયાન આપણે બધાં સાથે હિમાલયના કોઈ પણ પ્રદેશમાં ફરવા જઈએ. મે માસમાં કાશ્મીર જઈ એ તે અમરનાથ ન જવાય અને અમરનાથ ને ન જવાય તેા કાશ્મીર શું જવું એવા મારા મનના વલણના પરિણામે કાશ્મીર જવા વિચાર પડતા મુકાયા. સીમલા, મસુરી, દાર્જીલીંગ તે। મેં જોયેલાં છે. તે ત્યાં ફરીથી જવાની કાઈ ખાસ ઈચ્છા ન થઈ. બદ્રીનાથ, કેદારનાથ જવાનું રસાઈમા કે નાકરની સગવડ વિના નહિ કાવે અને એ સગવડ ઊભી કરવી મુશ્કેલ હતી, તેથી તે વિચાર આગળ ચાલી ન શકયો. આખરે હિમાલયના કુમાઉં હિલ્સના નામે ઓળખાતા ગિરિપ્રદેશમાં એટલે કે નૈનીતાલ, રાણીખેત, કૌસાની, આલ્ભારા વગેરે જ્યાં આવેલ છે એ વિભાગમાં પ્રાસે જવાનું અમે નક્કી કર્યું. તે પ્રદેશની ઠંડીનેા ખ્યાલ કરીને જરૂરી ગરમ કપડાં વસાવ્યાં યા એકઠાં કર્યા. અને મે માસની આમી તારીખે નીકળવામાં હું, મારી પત્ની, મેના, તેનાં બે બાળકો અને મારી એક બીજી પુત્રીનું બાળક એમ કુલ છ જણ હતાં. અજિતભાઈ તે ખાદી કમિશનની એ જ દિવસેામાં મુંબઈ ખાતે યાજાયેલી એક કોન્ફરન્સમાં ભાગ લીધા સિવાય ચાલે તેમ નહેાતું, તેથી તે અમારી સાથે જોડાઈ ન શકયા, પણ અમારા નીકળ્યા બાદ તે તેરમી તારીખે મુંબઈથી નીકળીને ૧૫મી મેના રાજ નૈનીતાલ અમારી સાથે જોડાયા. ૯મી તારીખની સાંજે અમે મથુરા પહેાંચ્યાં. કાથાદામ જવાની આગ્રાથી ઊપડતી ગાડી અમને રાત્રે ૧૧ વાગ્યે મળવાની હતી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy