SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ १२७ પ્રત્યે અમારે પક્ષપાત છે અને વિલાયતી કાપડ કદી લેતા નથી. અમારે ભાવનગરમાં વિલાયતી કાપડની દુકાન છે. વડીલજનો તેમ જ કુટુંબનાં અન્ય સ્વજનો તેમ જ બાળકે વિલાયતી વસ્ત્રો જ વાપરે છે. આથી મધુરીનું મન વારેઘડીએ વિલાયતી શોભતાં વસ્ત્રો ઉપર લેભાય છે અને વારંવાર મારી ભત્રીજીઓ અને તેની બહેનપણીઓ પહેરતી હોય તેવાં કપડાં માગે છે. અમે તેને વિલાયતી ન લેવા વિષે સમજાવીએ છીએ. તે બુદ્ધિશાળી છે એટલે અમારી વાત બુદ્ધિથી ગ્રહણ કરે છે, પણ તેના હૃદયમાં તે વાત ઊતરતી નથી અને તેને સતત માનસિક અસંતોષ રહેતો હોય એમ લાગે છે. જે શેભા વિલાયતી વાયલ વગેરેમાં છે તે જાતની શોભા દેશી મિલના કાપડમાં કે ખાદીમાં હોતી નથી. અમને પ્રશ્ન એ થાય છે કે આપણે વિચારોને બાળક પાસે તેમની મરજી વિરુદ્ધ અમલ કરાવવો તે યોગ્ય ગણાય કે અમારે વિરોધ રજૂ કરીને જ્યાં સુધી તેના ગળે એ વાત બરોબર ઊતરે નહિ અને તેના મનમાં એ વાત બરાબર વસે નહિ ત્યાં સુધી આવી બાબતમાં તેને મનગમતી વસ્તુ અપાવી દેવી તે યોગ્ય ગણાય ? આ પ્રશ્ન ની પાછળ મોટો પ્રશ્ન તો એ છે કે બાળકોની ઈછાઓ ઉપર માબાપના વિચારોનું કેવું અને કઈ હદ સુધીનું આક્રમણ ઉચિત ગણાય ? મીસરીવાદીઓ કદાચ કિંચિત પણ આક્રમણને અધમ્ય ગણતા હશે, પણ મને લાગે છે કે બાળક સાથેના વ્યવહારમાં એક યા અન્ય પ્રકારનું આક્રમણ તો માબાપને, મોબાપ હોવાના કારણે જ, કર્યા વિના ચાલતું નથી. તે ઉક્ત આક્રમણ સંબંધમાં આવશ્યક વિવેકની રૂપરેખા પણ પ્રસ્તુત પ્રશ્નના અંગમાં જણાવવા કૃપા કરશો. આ જ પ્રશ્ન પતિ પત્નીના સંબંધમાં પણ ઘણે ઠેકાણે ઊભે તે સાંભળે છે. પતિ એકાન્ત ખાદી વસ્ત્રધારી હોય અને પત્નીને વિલાયતી વસ્ત્રો ઉપર મોહ હોય. પતિપત્નીને સંબંધ સમાન અધિકાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy