SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ એ આપણા લેકે કેમ સમજતા નહિ હોય ? જેમ કોઈ બ્રાહ્મણની જનોઈ ખેંચી લેવામાં આવે, કઈ હિંદુની જેટલી કાપી લેવામાં આવે, જે વાત તે સાવ નાની અને નજીવી છે, એમ છતાં જે કઈ આવા આક્રમણનો ભોગ બને છે તે આથી કેટલી યાતના અને અપમાન અનુભવે છે ? જે કઈ ચેકસ ભાવનાથી ધળી ટોપી પહેરે છે તેની સાથેનું આવું વર્તન એટલું જ જંગલી લેખાવું જોઈએ. ધળી ટોપી ઉપર આક્રમણ કરીને ગાંધીજીનું, અહિંસાનું, કેંગ્રેસનું—એ ત્રણેનું આપણે અક્ષમ્ય અપમાન કરીએ છીએ. આ સીધી-સાદી વાત ઝનૂને ચઢેલા આપણા વિદ્યાર્થીઓ અને અન્ય લેક કેમ સમજતા નથી ? ઉપર જણાવ્યું તેમ, કેઈ પણ રાજકારણી અનિષ્ટ કે અન્યાય સામે વિરોધ પૂરત દાખવવાને આપણ સર્વને સોએ સો ટકા અધિકાર છે એ સ્વીકારીને પણ અત્યન્ત ભારપૂર્વક કહેવાનું પ્રાપ્ત થાય છે કે આપણે જાહેર જીવનમાં જે અસહિષ્ણુતા વધતી ચાલી છે, સંસ્કારિતા તે બાજુએ રહી પણ સભ્યતાને કરે મૂકીને યથેચ્છ વર્તવાની વૃત્તિ ફેલાતી જાય છે અને ઉગ્ર વિરોધ કરે એટલે બને તેટલા જંગલી બનવું આવી સમજણ તરફ કેળવાતી જાય છે, તે આપણા સામુદાયિક જીવન માટે મોટામાં મોટું ભયસ્થાન છે. આ બાબતની ઉત્કટતા આપણે બરાબર સમજી લઈએ અને પ્રજાને આવી રીતભાત અને પદ્ધતિથી પાછી વાળવા માટે આપણી સર્વ શક્તિ ખરચીએ. આપણે પરાપૂર્વને ઇતિહાસ અને સંસ્કારવારસે જોતાં આપણને અભિમાન હોવું જોઈએ અથવા તો આપણો એ મનોરથ - હે જોઈએ કે જેવી રીતે બીજી પ્રજાઓએ આઝાદી હિંસાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy