SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સામુદાયિક વિરોધમાં વધતું જતું જંગલીપણું જ્યારે પણ સમાજમાં કે રાજ્યવહીવટમાં કોઈ અનિષ્ટ ઘટના બની રહી છે એમ લાગે ત્યારે તે સામે વિરોધ કરવાનો અને બનતી ત્વરાએ તે અટકાવવા માટે પ્રયત્ન કરવાનો દરેક વ્યક્તિને હક્ક છે. અને આ હક જેમ એક વ્યક્તિને છે તેમ કોઈ પણ સામુદાયિક દળને પણ છે. જ્યારે કોઈ પણ બાબત અંગે રાજ્યસત્તાને ઉદ્દેશીને કરવામાં આવતી વિનવણીઓ, જાહેર સભા બેલાવીને કરવામાં આવતા ઠરાવ અને છાપાંઓ દ્વારા પ્રગટ કરવામાં આવતાં લખાણ નિષ્ફળ જાય છે એમ માલૂમ પડે, ત્યારે એથી પણ વધારે અસરકારક ઉપાય હાથ ધરવાનો પ્રજાને હક્ક છે. અને આમ ન કરવામાં આવે તે તે અનિષ્ટ ઘટનાનાં માઠાં પરિણામે સમાજ અને દેશને સહન કરવાં પડે અને અન્યાયની પરંપરા અબાધિત પણે ચાલ્યા કરે. આવા સંજોગોમાં સામુદાયિક વિરોધ દાખવવાના ઉપાયો બે પ્રકારના હોય છે. એક તે સૌમ્ય અને અહિંસક ઉપાય. એ ઉપાયે કયા હોઈ શકે તેની આપણને ગાંધીજીએ પોતાની હયાતી દરમિયાન પ્રયોગપૂર્વક પૂરી તાલીમ આપી છે. આ ઉપાયો શાન સરઘસ, સૌમ્ય હડતાળ, અસહકાર, સત્યાગ્રહ, સામુદાયિક ઉપવાસ આદિ નામથી જાણીતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy