SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જેના દર્શનની કલ્પના વ્યક્તિજીવનને આશ્રયીને બંધાયેલી દેખાય છે. તેને સમષ્ટિ ઉપર લાગુ પાડવાનો પ્રયાસ આધુનિક કાળના વિચારકોને જ આભારી છે. અહિંસાને જ્યારે સમષ્ટિજીવન ઉપર લાગુ પાડવામાં આવે છે, જ્યારે એક વ્યક્તિ ચા અમુક સમૂહ અન્ય સમૂહ કે તંત્રની સાથે અથડામણમાં આવે છે ત્યારે અહિંસાની ભાવના સ્વીકારનાર વ્યક્તિએ યા તે સમૂહ શી રીતે વર્તવું તે પ્રશ્નના વિચારમાંથી જ અસહકાર અને સવિનય સત્યાગ્રહની કલ્પનાઓ ફલિત થાય છે અને એ. રીતે અહિંસાવિજ્ઞાન નવા નવા પ્રદેશોની શોધખોળ તરફ દોરાયું છે અને આખી માનવતામાં ભરેલી વિષમતાને કેયડો ઉકેલવાની આશા આપે છે. પરિગ્રહ સંબંધે વ્યક્તિના દૃષ્ટિબિન્દુથી મોક્ષપ્રાપ્તિના ધ્યેયને ધ્યાનમાં રાખીને જૈન દર્શને એવો નિર્ણય તારવ્યો છે કે પરિગ્રહમિલકત સર્વ અનર્થનું મૂળ છે અને તેથી મુમુક્ષુ આત્માએ સર્વ પરિગ્રહનો ત્યાગ કરવો એ જ પરમ ધર્મ છે. આ જ અપરિગ્રહને સામાજિક દૃષ્ટિએ જનતાના કલ્યાણને ધ્યાનમાં લઈને જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે એવા અનુમાન ઉપર અવાય છે કે મિલકતની અસમાનતા એ જ સર્વ અનર્થનું મૂળ છે અને તેથી એવી અસમાનતા દૂર થાય અને સર્વ કઈ શ્રમ પાર્જિત એકસરખી સગવડવાળું સુખમય જીવન જીવે એવી સમાજરચના ઊભી કરવી એ સમાજહિતચિંતકનો પરમ ધમ બને છે. આજે પ્રચાર પામી રહેલ સમાજવાદનું મૂળ તત્ત્વ આ છે. આવી જ રીતે જન દર્શનનો અનેકાન્તવાદ પણ આખરે આપણને સાંપ્રદાયિક એકાતિકતામાંથી સર્વધર્મસમાનતાની ભાવના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy