SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ કેન્દ્રસ્થાને સ્થાપીએ અને મનુષ્ય કલ્યાણને આપણી મુખ્ય ચિંતાનો વિષય બનાવીએ. આમ કરીશું ત્યારે જ આપણને સાચો ધર્મવિવેક પ્રાપ્ત થઈ શકશે. હિંદુ સંસ્કૃતિ સાથે જૈન ધર્મને શું સંબંધ છે તેનો આપણને યથાર્થ ખ્યાલ આવવાની જરૂર છે. આખી હિંદુ સંસ્કૃતિ શ્રમણ સંસ્કૃતિ અને બ્રાહ્મણ સંસ્કૃતિના તાણાવાણાની બનેલી છે. જેને ધર્મ અને બૌદ્ધ ધર્મ શ્રમણ સંસ્કૃતિના મુખ્ય પ્રતિનિધિ છે. આ બન્ને સંસ્કૃતિનાં મૂળ પુરાણકાળના ઊંડાણ સુધી લંબાતાં દેખાય છે. જૈન ધર્મના ઈષ્ટદેવની કલ્પના બીજાથી જુદી પડે છે, પણ ધર્મવિચારનું સામાન્ય સ્વરૂપ સર્વત્ર એકસરખું છે. આવી રીતે એક જ સરખી સમાજરચના ઉપર જેન તેમ જ જનેતર હિંદુ સમાજ ઊભેલો છે. જૈન ધર્મ જેમ ખ્રિસ્તી ધર્મ કે ઈસ્લામથી જુદો તારવી શકાય છે તેમ તેને હિંદુ ધર્મની અથવા તે હિંદુ સંસ્કૃતિની કલ્પનાથી જુદો પાડી શકાતો નથી. જૈન ધર્મે બ્રાહ્મણ ધર્મને અહિંસા, ચારિત્ર, તપ, બુદ્ધિવાદ, સર્વસમાનતા આદિ ભાવનાઓના, કાળે કાળે, સંસ્કાર સીંચવાનું કામ કર્યું છે. બ્રાહ્મણ ધમેં જન ધર્મને સમાજસંરક્ષણની વ્યવહારુ દૃષ્ટિ આપી છે. ઇતર હિંદુ સમાજ સાથે આવી આપણી એકતા બુદ્ધિપૂર્વક ગ્રહણ કરવાની ખાસ જરૂર છે, કારણ કે, તેમનાથી જુદાઈ ચિંતવ્યા કરવી તે વાસ્તવિક નથી એટલું જ નહિ, પણ જૈન સમાજની દષ્ટિએ ઈછવા યોગ્ય પણ નથી. જૈન દર્શનમાં અહિંસા અને અપરિગ્રહ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. અહિંસાનો ખ્યાલ અન્ય દર્શનોમાં પણ છે, પણ ગૃહસ્થજીવનને લાગુ પડતો પરિગ્રહ પરિમાણનો ખ્યાલ તે જન દર્શનની જ વિશિષ્ટતા છે. એ અહિંસા અને પરિગ્રહ પરિમાણની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy