SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ તરફ લઈ જાય છે. એક વખત પરમસહિષ્ણુતા ભારે ગુણ ગણાતા હત. પણ અન્ય ધર્મ પ્રત્યે સાચું વલણ સૂચવવા માટે પરમતાસહિષ્ણુતા પૂરતી નથી લાગતી. આ વૃત્તિ પાછળ પિતાના ધર્મમત વિષે અહંતા અને અન્ય ધર્મમતે વિષે દયાભાવનું સૂચન છે. કાળક્રમે ફેરફાર પામતી જતી આપણી ધાર્મિક માન્યતાઓ અન્ય જનોની માન્યતા જેટલી જ અપૂર્ણ હવાને સંભવ છે. આપણી પ્રકૃતિ માટે આપણે ધર્મ વધારે અનુકૂળ લાગે છે, તેવી રીતે અન્ય પ્રકૃતિ માટે અન્ય ધર્મ વધારે અનુકૂળ હોઈ શકે છે. આ ઉપરથી એક ધર્મ અન્ય ધર્મથી ચડિયાતો કે ઊતરતે છે, એવું અભિમાન સેવવાને કશું પણ કારણ નથી. આવી અન્ય ધર્મો વિષે સમાનભાવ સૂચવતી આદરબુદ્ધિ અનેકાન્તવાદમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. જૈન ધર્મ પુરુષાર્થપ્રધાન છે. કર્મના સિદ્ધાંતને કેટલાક નિયતિવાદ સાથે ગૂચવે છે. પણ કમને સિદ્ધાંત નિયતિ અથવા તો પ્રારબ્ધ સાથે પુરૂષાર્થને સમન્વય સાધે છે. પ્રારબ્ધનાં બળો– ને તોડનાર શક્તિ પુરુષાર્થ અથવા તો તપ છે. તપ એટલે ધાર્યું પરિણામ નિપજાવનાર સાધના. જે કાંઈ છે તેમાં કદી કાંઈ ફેરફાર થઈ શકે જ નહિ, એમ જૈન ધર્મ માનતો જ નથી. તપની શક્તિ વડે સર્વ કર્મમળોને દૂર કરી શકાય છે અને મોક્ષની સમીપ પહોંચી શકાય છે. પ્રારબ્ધ અગોચર હોઈને માણસે તેને બહુ વિચાર કરવાનો છે જ નહિ. વર્તમાન વસ્તુસ્થિતિમાં કોઈ પણ માણસ ધાર્યો ફેરફાર કરવાની શક્તિ ધરાવે છે એ વિચાર ગૃહીત કરીને તપના સાધનને ઉપદેશ કરવામાં આવ્યો છે. આ જ તપના પુરુષાર્થના ખ્યાલને સમષ્ટિના પ્રશ્નો ઉપર લાગુ પાડીએ તે એવાં અનુમાનો ઉપર અવાય છે કે સમાજની એવી કોઈ પરિસ્થિતિ હોઈ ન શકે કે જેના વિષે એમ કહી શકાય કે તે અનાદિકાળથી એના એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy