SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ પ્રદેશની ગૂંચ ઉકેલતે અને નવી સમસ્યાઓ ઉપસ્થિત કરતે પ્રો. આઈન્સ્ટાઈનને સાપેક્ષવાદ કયાં? એક કાળે માત્ર મોક્ષપ્રાપ્તિના ધ્યેયને ધ્યાનમાં રાખીને પ્રરૂપાયેલી અહિંસા કયાં અને આજે સમાજ અને રાજકારણના પ્રદેશને સ્પર્શતી–અસહકાર અને સત્યાગ્રહના મર્મને સમજાવતી અહિંસા કયાં ? આમ નાનાં બીજમાંથી ઊગેલાં મહાન વૃક્ષની ભવ્યતા પણ સમ્યગ્દષ્ટિ જ માણી શકે. ભગવાન મહાવીર પ્રત્યેના વલણમાં પણ નવી દષ્ટિએ જેનાર થોડે ફરક અનુભવે. સંપ્રદાય દષ્ટિ ભગવાન મહાવીરના “અતિશયોને -અતીન્દ્રિયપણાને ખૂબ મહત્ત્વ આપે છે અને “જિનકલ્પ' અને સ્થવિરકલ્પ” એવો તેની અને આપણી વચ્ચે ભેદ પાડીને તેમના ચરિત્રને અનુકરણ–પ્રદેશની બહાર લઈ જાય છે. સમ્યગ્દષ્ટિ એ સર્વ અતિશયો અને અતીન્દ્રિયપણાના થર પાછળ રહેલું તેમનું એક આદર્શ મનુષ્ય તરીકેનું સુંદર, મનોહારી, અનુકરણગ્ય ચરિત્ર તારવી કાઢે છે. વિશાળ જગતના સનાતન ઇતિહાસની દૃષ્ટિએ તેમનું સર્વશ્રેષ્ઠત્વ કદાચ વિવાદાસ્પદ બને, પણ જેમ સાંસારિક જીવનમાં આપણાં માતાપિતાની તોલે કોઈ આવતું નથી, તેમ ધાર્મિક જીવનમાં આપણા ધર્મપિતા તરીકે તેમનું સાપેક્ષ સર્વશ્રેષ્ઠ અવિચળ અને અબાધિત રહે. તેમના સર્વજ્ઞત્વનો ખ્યાલ પણ આગળ સૂચવેલ કાન્તદર્શનની કલ્પના અનુસાર થોડા રૂપાન્તરને પામે. આમ કેટલીક મધુર માન્યતાઓ છેડતાં, જૂનાં ચશ્માં ઉતારતાં, કેટલીક ભવ્ય કલ્પનાઓને બાજુએ મૂકતાં, આપણને પ્રારંભમાં જરા આઘાત લાગશે, પણ પરિણામે વિશદ વિચારસરણીને લાભ થવાનો પૂરેપૂરો સંભવ છે. સાંપ્રદાયિક અંધતા કે ઉચ્છેદક વૃત્તિની ઘેલછા–બને ભાગે સાચી પ્રગતિના વિરોધી છે. સમ્યગૂ દષ્ટિ એ જ સાચી પ્રગતિને રાજમાર્ગ છે. આ વિષયનું આટલું લાંબું પ્રતિપાદન કરવાનું કારણ એ છે ચિં. ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy