SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઉપર કોઈપણ પ્રકારની છાયા પડે એવા સંબંધોથી આપણે બને તેટલું દૂર રહેવું ઘટે. જે સંભાળ સાધુઓ સંબંધમાં રાખવી જરૂરી છે, તેટલી સંભાળ તે પરત્વે રાખવી ઘટે છે. શ્રીમાન કે સાધુઓ ભારફતના અનેક ઐહિક લાભો આપણે જતા કરવા તૈયાર ન થઈએ ત્યાં સુધી યુવક પ્રવૃત્તિનું નેતૃત્વ લેવાને આપણને જરા પણ અધિકાર નથી એ આપણે બરાબર સમજી લેવું જ જોઈએ. આવી જ રીતે આપણે જ્ઞાતિબંધનોને ઉછેદ કરવા માંગીએ છીએ તે પછી નાત જાતના કોઈ પણ અધિકાર ઉપર આપણાથી રહી શકાય જ નહિ. સરકારી ઇલકાબ આપણને દૂષણરૂપ ગણાય અને સરકાર સાથેને કોઈપણ પ્રકારનો સ્વાર્થ સાધક અને દેશહિતબાધક સંબંધ આપણી પ્રવૃત્તિ અને ધ્યેયનો વિચાર કરતાં જરા પણ ઉચિત કે આદરણીય ન ગણાય. વિચાર તેમ જ આચારની એકરૂપતા ન ગણાય. વિચાર તેમજ આચારની એકરૂપતા ઉપર જેટલો ભાર મૂકાય તેટલું ઓછો છે. સામાજિક રૂઢિઓને વ્યાખ્યાનપીઠ ઉપરથી વિરોધ કરે અને પોતાને ત્યાં પ્રસંગ આવ્યે ગળિયા બળદ જેમ બેસી જાય એ વાત કોઈ પણ કાર્યકર્તાના સંબંધમાં નિભાવી શકાય જ નહિ. જાત જાતના માણસોની ખીચડી કરતાં સમાન ધ્યેય, વલણ અને આચારવાળા થડા પણ નીડર કાર્યકર્તાઓની આજે વધારે જરૂર છે. ઉપર સૂચવેલ આપણાં ધ્યેય અને વલણની સ્પષ્ટતા સંબંધમાં એક વાંધો રજૂ થવા સંભવ છે. આ વાંધા રજૂ કરનાર એમ કહેશે કે આ બધી તમારી વાત તે બરાબર છે, પણ લોકસામાન્ય સમાજ–આ બધા વિચારો પચાવી શકે તેમ નથી, તેથી આવી મોટી વાતો કરવાને બદલે જે શક્ય અને વ્યવહારુ હોય તે કરવું. આ બાબતમાં ચોખવટ કરવાની ખાસ જરૂર છે. પ્રથમ તે આવો વાંધો રજૂ કરનારાના માનસમાં લેકરુચિથી જરા પણ વિરૂદ્ધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy