SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉદારતાપૂર્વક બાંધછોડ કરીને કજિયાઓ પતાવવાની અને પક્ષમાં જ્યાં સુધી તીવ્ર આતુરતા નહિં જન્મે ત્યાં સુધી આ કજિયાઓનો નિકાલ મને તે દેખાતો નથી. આપણા માટે તે આવા પ્રશ્નો પરત્વે ઉદાસીનતા ધારણ કરવી એ જ યંગ્ય માર્ગ દીસે છે. ઇટ કે પથ્થરના, દંડ કે ધજાના, ચક્ષુ, ટીલાં કે આંગીના, કઈ એક મંદિરની માલિકીના કે વહીવટના પ્રશ્ન ઉપર અનર્ગળ દ્રવ્ય ખરચવાનું અને પરિણામે ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝેરવેર વધારવાનું આપણાથી કદી બને જ નહિ. આપણે તે એક વખત બધું જતું કરીને પણ એકતા સાધવા પ્રયત્નશીલ રહીએ. આવી કોમી યુવક પ્રવૃત્તિમાં આપણે બે ધ્યેય હોવાં જોઈએ. એક તે કોમી સુધારણા એટલે કે રાષ્ટ્રની દૃષ્ટિએ કેમમાં પ્રવર્તતી અનિષ્ટ રૂઢિઓના ઉચ્છેદ અને ઈષ્ટ પ્રવૃત્તિઓને પ્રારંભ અને બીજુ ભિન્ન ભિન્ન કેમ યા સમાજની વ્યક્તિઓના માનસમાં રાષ્ટ્રીય. ભાવનાની પ્રતિષ્ઠા અને પ્રાધાન્ય. કેટલાક લેકે રાષ્ટ્રીય એકતા સાધવા માટે દેશમાં પ્રવર્તતા ભિન્ન ભિન્ન ધર્મો અને તેને અવલંબીને ઉપસ્થિત થયેલા ભિન્ન ભિન્ન ધર્મ-સમાજોને નાશ ઈચ્છે છે. પણ આવડા મોટા દેશની અંદર એક યા અન્ય વિચારકેન્દ્રને આધાર લઈને અનેક નાનામેટાં વર્તુળ, મંડળો-સમાજે અસ્તિત્વ ધરાવે છે અને તેનો આમૂળ નાશ થાય એ કદી શકય જ નથી. પ્રાંતભેદ, ભાષાભેદ, સંસ્કારભેદ, પ્રવૃત્તિભેદ, ઉદ્યોગભેદ–આવાં અનેક કારણેને અંગે પિતપિતાના કાર્યક્ષેત્રના હિતાહિતને વિચાર કરવા માટે અનેક મંડળો જેમ ઊભાં થયેલાં છે તેવી રીતે દેહથી પર એવું કોઈ આત્મતત્ત્વ, વ્યક્તિથી પર એવું કેઈ સમષ્ટિતત્ત્વ અને વિશ્વથી પર એવું કોઈ ઈશ્વરત-એ ત્રણ તત્વના વિચારમાંથી જગતના સર્વ ધર્મો અને તેના અનુયાયી સમાજે ઉપસ્થિત થયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy