SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭,, જ રાખવામાં આવતો હોય ત્યાં ત્યાં પોતાની શક્તિ મુજબ સામને કરવામાં, નિર્બળને બચાવવામાં અને દલિતને ઉદ્ધારવામાં જ રહેલી છે. આવી જ અહિંસા આપણને નીડર અને સમર્થ બનાવી શકે અને આવી જ અહિંસા જગતની ઉદ્ધારક બની જશે. આ પ્રમાણે આપણી ધર્મ અને અહિંસાની સમજણોમાં તાવિક ફેરફાર થવાની ખૂબ જ જરૂર છે. આપણે સંસારથી ભાગવાનું નથી પણ સંસારની વચ્ચે ઊભા રહીને લડવાનું છે. આપણા શરીર અને મનને સૂકવી નાંખવાનાં નથી, પણ બળવાન, સંયમી અને સેવાપરાયણ બનાવવાનાં છે. વૈરાગ્ય અને ત્યાગ આસપાસનાં બંધનો અને જવાબદારીઓથી નાસી છૂટવામાં રહેલાં નથી, પણ જે ક્ષેત્ર ઉપર આપણે ઊભા હોઈએ ત્યાં કર્તવ્યધર્મ આચરતાં આચરતાં સુખ અને સફળતા મળે મલકાઈ ન જવું અને દુઃખ અને નિષ્ફળતા મળે વિહ્વળ ન બનવું એવા પ્રકારની સમતા અને અનાસક્તિ કેળવવામાં રહેલ છે. અહિંસા માત્ર પ્રાણહાનિથી ભડક્યા કરવામાં રહેલી નથી, પણ સર્વ વ્યાપી પ્રેમ અનુભવવામાં દીનદલિતોની સેવા કરવામાં અને પીડિત જનની વહારે ધાવામાં રહેલી છે. આમ, આજે આપણે અનેક સમજણનું રૂપાન્તર કરવાની ખાસ જરૂર છે તેમ થશે તો જ આપણામાં સાચું બળ પ્રગટશે, નોરોગી માનસ ઊભું થશે અને આવતી ઉત્ક્રાંતિ આપણે પુરુષાર્થ, સાહસ અને સેવા વડે અપનાવી શકીશું. આજે આપણે આરોગ્યપ્રાપ્તિ અને બળવૃદ્ધિનો વિચાર કરીએ છીએ ત્યારે પ્રમાણમાં ગૌણ ગણાય એવા આહાર સંશધનના વિષય ઉપર મને થોડુંક કહેવાનું પ્રાપ્ત થાય છે. આહારમાં મિષ્ટાન, ફરસાણ અને કઠોળ બહુ અગત્યનો ભાગ ભજવે છે અને પિષણ તથા આરોગ્યની દૃષ્ટિએ આ ત્રણે ભારે નુકસાનકર્તા છે એમ આજનું વિજ્ઞાન આપણને જણાવે છે. નિરામિષ આહારની કેટિમાં અનેક દ્રવ્યો છે જેની આરોગ્ય અને પોષણની દૃષ્ટિએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy