SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ e રૂપાંતર થવાની જરૂર છે. જૈન ધર્મ અનેક ઉદાત્ત સિદ્ધાંતાથી ભરેલે છે અને કાળકાળના ઉપદેશ અને આદરણીય જીવનનિયમે તેમાંથી તારવી શકાય તેમ છે. પણ આજનું ધાર્મિક શિક્ષણ આ ખવાય અને આ ન ખવાય એની વિવક્ષામાં જ માટે ભાગે જાણે કે પર્યાપ્ત થતુ હાય એમ દેખાય છે. ‘પૂજા કરા,’ ‘તપ કરે,' ‘જપ કરા,’ સર્વ પ્રવૃત્તિથી અને તેટલા પાછા હઠા; સગાં કેાનાં અને વહાલાં કેાનાં ? સમાજ શું અને દેશ શું? સંસાર માત્ર અસાર છે, જીવન ક્ષણભંગુર છે. ઉપવાસો કરી અને ઇન્દ્રિયાનુ દમન કરી ' આ પ્રકારના ઉપદેશ આપણા જીવનને નીરસ બનાવે, નિષ્પ્રાણૢ બનાવે, મદોત્સાહ બનાવે છે. આવા ધર્મોપદેશ ચોતરફથી ધર્મગુરુઓ આપી રહ્યા છે. આપણું જીવન સમ બને, ગૃહસ્થાશ્રમ ઉન્નત બને, સમાજ પ્રત્યેના આપણા ધર્મ અને ફરજ સમજાય, અસત્ય અને અધમ સામે લડવાની આપણામાં તાકાત કેળવાય આવુ કહેવાનું કે સમજાવવાનું કેાઈ ધગુરુને સૂઝતું નથી. અને આપણા જીવનમાં પણ દ્વિધાભાવ આવી ગયા છે. આપણે ધાર્મિક અને વ્યવહારિક એમ જીવનના બે ભાગ પાડીએ છીએ, કારણ કે ચાલુ જીવનના પ્રવાહ સાથે બંધબેસતું અને ઉન્નત બનાવતું વનવિજ્ઞાન આપણે જાણતા નથી. અહિં સાધની બાબતમાં પણ આપણે બને ત્યાં સુધી જીવનની હિંસા નહિ કરવાની નિષ્ક્રિય બાજુના જ બહુધા વિચાર કરીએ છીએ. તેથી આપણી અહિંસાએ આપણને ડરપોક અને ભીરુ બનાવી દીધા છે. આપણી અહિંસા એજસ વિનાની અને નિી દેખાય છે. અહિંસાની સક્રિય બાજુ જ્યાં જ્યાં હિ ંસા થતી હાય, અન્યાય કે અધર્મ આચરવામાં આવતા હોય નિ`ળ ઉપર સગળની સવારી થતી હાય, ગરીબના હક્કો ઉપર તરાપ મરાતી હાય, રૂઢિ કે સમાજવ્યવસ્થાના બહાના નીચે અમુક વર્ગને નિરન્તર દબાયેલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy