SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વાત, વિચાર અને પ્રચાર કરવા છતાં પણ આપણે હજુ સુધી દૂર કરી શક્યા નથી. આનું કારણ એ છે કે આપણામાં સુધરવાની–આગળ વધવાનીજરા પણ અધીરાઈનથી. આપણું મેલું દૂર કરવાની અને આન્તર બાહ્ય સ્વચ્છ બનાવવાની આપણને જરા પણ ધગશ નથી. દુનિયા ભલે તિરસ્કારે, બીજા દેશે ભલે આપણું અપમાન કરે, આપણે છીએ તેવા ને તેવા જ રહેવા માંગતા હોઈએ એવી આપણામાં મૂઢતા પ્રવર્તે છે. આ બધું દૂર કરવા માટે આપણામાં લડાયક વૃત્તિ જોઈએ. આપણે કાર્યક્રમ પણ લડાયક જોઈએ. પ્રથમ આપણું બળ એકત્ર અને સંયેજિત કરવાનું અને પછી હલે જ લઈ જવાનો, સામેના પક્ષની સત્તાના કિલ્લા સર કરવાના અને ધાર્યા કાર્યક્રમને સ્વીકાર કરાવીને જ નિરાંતે બેસવાનું. દાખલા તરીકે આજે આપણામાં એક વિચાર ર્યો છે અને ચોતરફ સત્કારાવા પણ લાગ્યો છે કે દેવમંદિરમાં થતી આવકનો ઉપયોગ સમાજહિતના કાર્યમાં જ થવો જોઈએ. મંદિરના અને મૂર્તિના શણગાર બંધ થવા જોઈએ અને મંદિરના સાદા નિભાવથી બચત રહેતી રકમમાંથી વિદ્યાલય, સસ્તાભાડાની ચાલીઓ ઊભી થવી જોઈએ તેમ જ અત્યારે સૌથી વધારે મૂંઝવતી બેકારી દૂર કરવાની ગોજનાઓ ગતિમાં મુકાવી જોઈએ. પણ આમ વાતે અને ચર્ચા કર્યો બીજ પચ્ચીસ વર્ષ સુધી પણ કાંઈ નિપજવાનું છે ખરું ? આજે એવી કેટલીયે બાબતે છે કે જ્યાં દલીલને કે સમજાવટને અવકાશ જ નથી. ખૂબ બળ એકઠું કરે અને તેના દબાણ વડે સત્તાધારીઓને તેમ જ સ્થિ. તિચુસ્તોને પદભ્રષ્ટ કરે. તે જ ધારી દિશામાં આગળ વધી શકાશે. અત્યારના જૈન ધર્મના શિક્ષણ અને સમજણમાં પણ મોટું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy