SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર લાગુ પાડતાં આજ વિચાર આપણને ફલિત થાય છે. પણ આપણું અનેકાન્ત દર્શન આજે તત્ત્વની ચર્ચામાં અને વિતંડાવાદમાં આવીને ભરાયું છે. તેનાથી આપણામાં આવવી જોઈતી ઉદારતા અને ધર્મ તથા સમાજના વ્યવહારને કાળે કાળે બદલતા રહેવાની. કુશળતા આજે કયાંય દેખાતો નથી એ ભારે શોચનીય છે. આ રીતે પ્રચલિત એટલા કારણે જ આદરણીય એ ગાંઠ છેડયા બાદ આપણે દરેક પ્રશ્ન ઉપર સ્વતંત્ર રીતે વિચાર કરતાં શીખવું જોઈએ, અને બને તેટલા ઊંડા તેમજ વિશાળ અભ્યાસ અને અવલોકનની મદદ દ્વારા આપણા લાંબા કાળથી બંધાયેલા વિચાર અને અભિપ્રાયનું બારીક પૃથક્કરણ કરતાં રહેવું જોઈએ અને દરેક બાબતમાં મૂળ સુધી પહોંચવાની ટેવ કેળવવી જોઈએ. આ રીતે પ્રાપ્ત થતા નિર્ણયોને બહારનું ગમે તેટલું દબાણ ફેરવી ન શકે એટલી આપણામાં દઢતા આવવી જોઈએ. આપણી સુધારાને આગળ વધારવાની રીત બહુ મંદ હોય છે. આપણે બને ત્યાં સુધી સમજાવીને કામ લેવામાં માનીએ છીએ અને મતભેદ પડે ત્યાં ગમે તેવી પતાવટ કરી ઝગડાને હાલ તુરતને માટે નિકાલ લાવવા આપણે તૈયાર થઈ જઈએ છીએ. પરિણામ એ આવે છે કે આપણી વાત અને પ્રયત્ન ઘણુંખરું વધ્ય બને છે કારણ કે, આપણા સમાજમાં લાંબા કાળની જડતાએ એટલું ઊંડું ઘર ઘાલ્યું છે, સ્થિતિચુસ્તતાએ આપણા સમાજને એટલે બધે પ્રમાદી બનાવ્યો છે કે તેને સખ્ત આંચકા ન આપો અને જે જે ફેરફારો આવશ્યક છે તે નિપજાવવા માટે ઉગ્ર પ્રયત્નો હાથ ન ધરે ત્યાં સુધી આપણી જડતા અને પ્રમાદ કશું કરવા દે એમ છે નહિ. વિવાદાસ્પદ નહિ એવી આપણે કેટલીયે ત્રુટિઓ આટઆટલી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy