SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ કદી કાબૂ જામી શકતો જ નથી. આપણા સુધારાના કાર્યને સૌથી પાછળ ધકેલનાર તે એ છે કે આપણામાંના કેટલાક વિચાર અને વર્તનને મેળ જાળવી શકતા નથી, તેઓ મોટી મોટી વાત કરીને ખરે પ્રસંગે ખરી પડે છે, અને માતપિતા વડિલે અને સમાજના દબાણ સામે પિતાના વિચારને વળગી રહેવાની તાકાત દાખવી શકતા નથી. આપણું સૈન્ય આવું વિવિધરંગી હોઈને આપણે બહુ જ ઓછું આગળ વધી શકીએ છીએ. આપણે ખરેખર આગળ વધવું હોય અને જે ક્રાન્તિનું દર્શન આજે આપણને થઈ રહ્યું છે તેની સમીપ પહોંચવાની આપણને ખરેખર તમન્ના હોય તો કેટલીક બાબતે આપણે બરાબર સમજીને અંતરમાં ઉતારી લેવી જોઈએ. પ્રથમ તે આપણે એ બુદ્ધિપૂર્વક ગ્રહણ કરી લેવું જોઈએ કે એવી કોઈ પણ સામાજિક અથવા ધાર્મિક પ્રથા, રૂઢિ કે વ્યવહારપદ્ધતિ છે જ નહિ કે જેનું ઔચિત્ય ત્રિકાળાબાધિત હોય અને જેમાં કોઈ પણ કાળે કશાયે ફેરફારને અવકાશ જ ન હોય. આપણામાં પુરાણપ્રિયતા એટલી બધી ઊંડી છે અને શાસ્ત્રાધારને આંખો બંધ કરીને સ્વીકારી ચાલવાની આપણને એટલા લાંબા વખતની ટેવ પડેલી છે કે અમુક પ્રણાલિકા બહુ પુરાણી છે અથવા તે શાસ્ત્રવિહિત છે એટલા કારણે જ આપણે તેના ગુણદોષની વિવક્ષામાં ઊતરવાની ના પાડીએ છીએ. આજના વિજ્ઞાને આપણી એટલી બધી માન્યતાઓ ખોટી પાડી દીધી છે અને આજના સમાજશાસ્ત્ર, માનસશાત્રે તેમજ જાતીય વિજ્ઞાને આપણાં નૈતિક તેમજ સામાજિક ધોરણે અને તેલમાપમાં એટલા બધા ફેરફાર કર્યા છે કે ભૂતકાળની કોઈપણ બાબતને આપણે એકાન્ત સત્ય તરીકે સ્વીકારીને ચાલી શકીએ તેમ છે જ નહિ. આપણું જૈન ધર્મના અનેકાન્ત દર્શનને મનુષ્યજીવન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy