SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ભણાવવી જોઈએ, પણ તેમને ભણતરમાં બહુ દૂર લઈ જવી ન જોઈએ; બાળલગ્ન જરૂર બંધ કરે પણ બહુ મોટી ઉંમર સુધી છોકરાં છોકરીઓને અપરિણીત રાખવાં ન જોઈએ; સ્ત્રીઓની પતિના અભાવે થતી અસહાય સ્થિતિ માટે કાંઈક જરૂર કરો, પણ તેમને વારસાહક આપવો ન જોઈએ. નાના તડ કે ઘોળ ભલે તેડો, પણ મોટી જ્ઞાતિઓ બરાબર જળવાવી જ જોઈએ; અસ્પૃશ્યતા ભલે દૂર કરો પણ વર્ણવ્યવસ્થા તથા ખાનપાન અને કન્યાની લેવડદેવડની મર્યાદાઓ બરાબર સુરક્ષિત રહેવી જોઈએ. આવી જ રીતે ધાર્મિક બાબતોમાં તેઓનું વલણ પણ કેવળ અર્ધદગ્ધ હોય છે. સુપન કે બેલીનો ઘીની આવક સાધારણ દ્રવ્ય તરીકે વાપરે પણ મંદિરના ભંડારની આવકને તે આપણાથી અડી શકાય જ નહિ. છોકરાઓને કૅલેજમાં ભલે ભણાવો અને ઊંચા અભ્યાસ માટે પરદેશ પણ મોકલે, પણ ખાનપાનના ધાર્મિક નિયમે તેમની પાસે ફરજિયાત પળાવો; ઊંચી કેળવણીમાં જરૂર દ્રવ્ય ખરચે પણ મંદિર, તેમજ મહોત્સવ ઉજમણાં એટલાં જ જરૂરી છે એ ન ભૂલે. ત્રણ વિભાગ વચ્ચે એકતા જરૂર વધારે પણ કોઈ પણ તીર્થને લગતો આપણો હકક જાળવવા ખાતર અન્ય વિભાગ સાથે લડવામાં પાછા ન હઠો, અને પ્રસંગ આવ્ય તીર્થની ખાતર પ્રાણનું પણ બલિદાન આપો. ગાંધીજી અને જવાહરલાલના આ યુગમાં આવા અધકચરા સુધારકો સૂર્ય પાસે ખદ્યોત જેવા લાગે છે. ત્રીજો પ્રકાર એવો પણ જોવામાં આવે છે કે જેને સમાજ ઊંચે ચડે કે નીચે પડે તેની બહુ પરવા જ હોતી નથી, પણ કાં તે મહત્વાકાંક્ષા ખાતર અથવા મોજ ખાતર અવાર-નવાર જાહેર જીવનમાં આગળ આવવું, ઉદ્દામ વિચારે રજૂ કરવા, લોકોમાં ખળભળાટ મચાવે અને પાછા પોતાના ખૂણામાં સંતાઈ બેસવું. આવી તેમની જીવનલીલા હોય છે. આવા માણસો બે ઘડી કોને મુગ્ધ કરે છે, પણ તેમને સમાજ ઉપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy