SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ સમજણ જ હાતી નથી. આગામી ઉજ્વળ ભાવિનું આપણને દન જ નથી અને લાકવિરાધની ભડક આપણને ડગલે ને પગલે પીથ્યા જ કરે છે. દેવ દ્રવ્યના સદુપયેાગ, વિધવાવિવાહનું વ્યાજ— ખીપણું, ત્રણ સંપ્રદાયની વ્યવહારુ એકતા આવી સાદી સમજથી સહજ સ્વીકારી શકાય તેવી ખાખતા આજે પણ આપણા માટે વિવાદ અને મતભેદના વિષયા છે અને તે બાબતની જ્યારે ચર્ચા આવે છે ત્યારે આપણામાંના કેટલા ભાઈએ સમતાલ પણ રહી શકતા નથી. આવી હજુ આપણી સ્થિતિ છે. આપણા સુધારા કેટલાક એકદેશીય હોય છે, કેટલાક અધકચરા હેાય છે. એકદેશીય સુધારક એ છે કે જે એકાદ વિષયમાં એકદમ આગળ જાય છે, જ્યારે ખીજી બધી ખાખામાં તેનું વલણ શુદ્ધ રુઢિચુસ્તનું જ હોય છે. દાખલા તરીકે કાઈ ખાળદીક્ષાપ્રતિબંધના પ્રશ્ન ઉપર જ સ ઉદ્ધારની આશા બાંધી ચાલે છે, તે કાઈ વિધવાવિવાહને જ સં દર્દોના નિવારણના ઉપાય તરીકે આગળ ધરે છે, કેાઈ લગ્નક્ષેત્રવિસ્તાર પૂરતું જ પેાતાનું માનસ વિશાળ બનાવે છે, તેા કાઈ જ્યાં ત્યાં અસ્પૃશ્યતા નિવારણને જ આગળ ધરે છે. આવી એકદેશીયતાને લીધે તેઓના વિચારામાં કદી એકરૂપતા કે સમપ્રમાણ દેખાતાં નથી. બીજા અધકચરા સુધારા એ છે કે જેમની દૃષ્ટિ દરેક વિષયને પહેાંચવા પ્રયત્ન કરે છે અને જેમને દરેક બાબતમાં નાનું સરખું આગળ પડતું પગલું ભરવાનું હાય છે, પણ પછી તેઓ ત્યાં જ ચીટકીને બેસે છે અને જરા પણ આગળ ખસવાની ના પાડે છે. દાખલા તરીકે તેઓ ભિન્ન ભિન્ન વિષયામાં આવું વલણ રજૂ કરે છે : કોઈ બિચારી બાળવિધવા ન રહી શકતી હાય તા ભલે પરણે, પણ બાકીની વિધવાએને પરણવાના હક્ક આપવા ન જોઈએ. છેકરીઓને જરૂર ચિ. ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy