SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા મુંબઈના શેઠ લક્ષમીદાસ ખીમજીભાઈ મોરબીમાં આવેલા, તે વખતે હાઈસ્કૂલમાં મટી સભા ભરીને બાર અવધાન તેમણે કરી બતાવ્યાં હતાં. તે વખતે શેઠ લક્ષ્મીદાસ ખીમજીભાઈએ કહ્યું કે આ વખતે હિન્દ ખાતે તે આ એક જ પુરુષ આટલી શક્તિવાળા છે. તે વખતે શ્રીમને રૂડું ઈનામ પણ મળ્યું હતું. ખાનગી પ્રસંગે શ્રીમને જામનગર જવાનું થયું હતું. ત્યાં તેઓએ ત્યાંના વિદ્વાને આગળ બે સભાઓમાં બાર અને સેળ એમ બે વિધિથી અવધાનો કર્યા હતાં. બધા પ્રેક્ષકે પ્રસન્ન થયા હતા. અહીં તેમને “હિન્દના હીરા' તરીકે ઉપનામ મળ્યું હતું. જામનગરમાં બે વિદ્વાને આઠદશ વર્ષથી અવધાને કરવા માટે મહેનત કરતા હતા, પરંતુ નિષ્ફળતા પ્રાપ્ત થતી હતી. તેથી ત્યાંના વિદ્વાનોને સેળ અવધાન કરનાર પ્રત્યે બહુમાનપણું અને આશ્ચર્ય ઉત્પન્ન થયાં હતાં. વઢવાણના પ્રદર્શનમાં એમણે કર્નલ એચ. એલનટ સાહેબ અને બીજા રાજા-રજવાડા તથા મંત્રીમંડળ વગેરે મળી આશરે બે હજાર દ્રષ્ટાઓની સમક્ષ સેળ અવધાને કરી બતાવ્યાં હતાં; તે જોઈ આખી જંગી સભા આનંદ આનંદમય થઈ ગઈ હતી. સઘળા સભાજનેના મુખમાંથી શ્રીમની અજબ શક્તિની અનેક પ્રકારે પ્રશંસા પ્રગટતી હતી. ઉપરાઉપરી પ્રશંસાનાં ભાષણ થતાં જતાં હતાં. “ગુજરાતી”, “મુંબઈ સમાચાર, લેકમિત્ર” અને “ન્યાયદર્શક પત્રોમાં પણ શ્રીમનાં યશોગાન થવા લાગ્યાં. બેટાદમાં એમણે એમના એક લક્ષાધિપતિ મિત્ર શેઠ હરિલાલ શિવલાલની સમક્ષ બાવન અવધાન કર્યા હતાં. વચ્ચે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy