________________
અવધાન
કંઈ પણ પરિશ્રમથી પરિચય રાખ્યા વિના પરભારાં સળ મૂકીને બાવન અવધાન કર્યા એ ઉપરથી શ્રીમદુના પરાક્રમ, હિમ્મત, શક્તિ અને બુદ્ધિબળના ચમત્કારનું કંઈક ભાન થશે.
બાવન કામ-પાટે રમતા જવું, શેતરંજ રમતા જવું, ટકેરા ગણતા જવું, માળાના મણકા ગણતા જવું; સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આપેલા ગણતા જવું, ગંજીફે રમતા જવું, સોળ ભાષાઓના શબ્દો યાદ રાખતા જવું, બે કેઠામાં આડાઅવળા અક્ષરથી કવિતાઓ માગેલા વિષયની કરાવતા જવું, આઠ ભિન્ન ભિન્ન માંગેલી સમસ્યાઓ પૂર્ણ કરતા જવું, સળ જુદા જુદા માગેલાં વૃત્તોમાં માગેલા વિષયે તૈયાર કરાવતા જવું, એમ બાવન કામની શરૂઆત એક વખતે સાથે કરવી. એક કામને કંઈક ભાગ કરી બીજા કામને કંઈક ભાગ કરે. પછી ત્રીજા કામને કંઈક કર, પછી ચેથા કામને કંઈક ભાગ કરો. પછી પાંચમાને એમ બાવને કામને થડે થોડે ભાગ કર. ત્યાર પછી વળી પહેલા કામ તરફ આવવું અને તેને થોડે ભાગ કરે. બીજાને કરે, ત્રીજાનો કરે એમ સઘળાં કામ પૂર્ણ થતાં સુધી કર્યો જવું. એક સ્થળે ઊંચે આસને બેસીને એ બધાં કામમાં મન અને દ્રષ્ટિ પ્રેરિત કરવી, લખવું નહીં કે બીજી વાર પૂછવું નહીં અને સઘળું સ્મરણમાં રાખી એ બાવને કામ પૂર્ણ કરવાં. કંઈક સમજાય તેવી સમજૂતી નીચે આપી છે.
(૧) પાટે રમતા જવું–ત્રણ જણ પાટે બીજા રમતા હતા તેમની સાથે પાટે રમતાં જતાં અને વચ્ચે બીજે એકાવન કામ કરતાં જતાં છેવટે લીલી, પીળી, લાલ અને કાળી એ ચાર રંગની સોગઠીઓ ધ્યાનમાં રાખીને કહી આપી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org