________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળ
હતી. ચેપાટ વચ્ચેથી ઉપાડી લેવામાં આવી હતી પરંતુ જેના અંતઃકરણમાં બીજી ચેપાટ ગોઠવાયેલી હતી તેને એ ચોપાટની પછી શી જરૂર હતી?
(૨) ગંજીફે રમતા જવું–પાટને પાસે નાખ્યા પછી બીજા ત્રણ જણની સાથે શ્રીમદ્ ગંજીફે રમતા જતા હતા, અને છેવટે પિતાનાં તેરે પત્તાં કહી આપ્યાં હતાં. એ પત્તાં માત્ર એક જ વાર જેવા આપી લઈ લેવામાં આવ્યાં હતાં.
(૩) શેતરંજે રમતા જવું–તે જ વખતે શેતરંજ રમવા બીજા એક જણની સાથે ચિત્ત પરેવ્યું હતું. અવધાનની સમાપ્તિએ વચ્ચેથી ઉપાડી લીધેલ શેતરંજના પાળાં, ઊંટ, અશ્વ, હાથી, વજીર, બાદશાહ નંબરવાર કહી આપ્યાં હતાં.
| (૪) ટકેરા ગણવા–એ વખતે એક જણ બહાર ઊભું રહીને ઝાલરના ટકોરા વગાડતે હતે. તે યાદ રાખીને સઘળા છેવટે કહી દીધા હતા.
(૫) પડતી ચઠી ગણવી–શ્રીમદ્ભા વાંસા ઉપર વચ્ચે વચ્ચે તે કામની સાથે ચઠીઓ નાખવામાં આવતી હતી, તે કેટલી થઈ તે અવધાનની સમાપ્તિએ કહી દીધી હતી.
(૬, ૭, ૮, ૯)-બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સરવાળા તે કામની સાથે ગણવા આપ્યા હતા તે ગણીને મનમાં રાખી છેવટે તેનો જવાબ કહી બતાવ્યા હતા.
(૧૦)-એક જણ હાથમાં માળાના મણકા ફેરવતે જતું હતું તેને તરફ પણ શ્રીમદુની નજર હતી. તે માળા વચ્ચેથી અધૂરી મૂકવામાં આવી હતી. છેવટે તેમણે કેટલા મણકા ફર્યા હતા તે કહી આપ્યું હતું.
(૧૧ થી ૨૬)-જુદી જુદી ભાષાઓના શબ્દો (સોળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org