________________
અવધાન
શ્રી વવાણિયા ગામ નાનું હોવાથી અને સુજ્ઞ મનુષ્યને થડે સમાગમ હોવાથી એમનું મન પ્રવાસ તરફ રહ્યા કરતું. સં. ૧૯૪૦ના અરસામાં તેમણે મોરબીમાં પ્રવેશ કર્યો હતે.
મરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર ભટ્ટ અષ્ટાવધાનના પ્રયોગે જાહેરમાં કરી બતાવતા, એટલે આઠ બાબતે તરફ એકી વખતે લક્ષ રાખી ભૂલ વગર આઠ ક્રિયાઓ કરી બતાવવી. એ જ અરસામાં મુંબઈમાં ગટુલાલજી મહારાજ અષ્ટાવધાન કરતા. આ વખતે જાણવા પ્રમાણે હિન્દુસ્તાનમાં બે જ પુરુષ ચમત્કારી સ્મરણશક્તિવાળા ગણતા હતા.
શ્રીમદ્ મોરબીમાં પધાર્યા તે અરસામાં તવશેધક જૈનના પવિત્ર ઉપાશ્રયમાં શાસ્ત્રી શંકરલાલનાં અષ્ટાવધાન થયાં; તે વખતે વણિકભૂષણ કવિ તરીકે પ્રખ્યાતિ પામતા શ્રીમદ્દને પણ અષ્ટાવધાનેનું નિરીક્ષણ કરવા આમંત્રણ હતું. શ્રીમન્ની
સ્મરણશક્તિ તે અદ્ભુત હતી; તેમણે અવધાન જોયાં કે તે શીખી લીધાં. બીજે દિવસે વસંત નામના બગીચામાં પ્રથમ ખાનગીમાં મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયે લઈ અવધાન કરી બતાવ્યાં. બીજે દિવસે જાહેરમાં બે હજાર પ્રેક્ષકો સમક્ષ પવિત્ર ઉપાશ્રયમાં જ બાર અવધાન કરી બતાવ્યાં. સામાન્ય વિદ્વાન તરીકે લેકમાં એ જાણતા હતા, પણ હવે તે આ ચમત્કારી સ્મરણશક્તિથી લે કે માં બહુ પ્રશંસા પામવા લાગ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org