________________
ભાવનાબેધ
આઠમી સંવર ભાવનામાં પાપ-પ્રનાળરૂપ આસવદ્વારને રેકવા વિષે જણાવી કુંડરિકના ભાઈ પુંડરિકે ભાઈને મુનિશ ગ્રહણ કરી એ નિશ્ચય કર્યો કે મારે મહર્ષિ ગુરુ કને જવું અને ત્યાર પછી જ અન્નજળ ગ્રહણ કરવાં. અણવાણે ચરણે પરવરતાં પગમાં કાંકરા, કાંટા વાગવાથી લેહીની ધારાઓ ચાલી તોપણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ મરીને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવરૂપે ઊપો .
એ જ ભાવનામાં બીજું શ્રી વજી સ્વામીનું દ્રષ્ટાંત આપ્યું છે. તેમાં તે કંચન-કામિનીથી ચળ્યા નહીં તે જોઈને તેમને ચળાવવા પ્રયત્ન કરનાર યુવતી સુમિણીએ ચારિત્ર ગ્રહણ કર્યું; મન વચન કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાયે.
નવમી નિર્જરા ભાવનામાં બાર પ્રકારનાં તપનું વર્ણન કરી દ્રઢપ્રહારી સાતે વ્યસન સેવનાર બ્રાહ્મણપુત્રનાં પાપ જણાવી તેને પશ્ચાત્તાપ થતાં ઉત્તમ ભાવનાએ પંચમુષ્ટિ કેશલુંચન કરી, સાધુપણું ગ્રહણ કરી, લોકેના સંતાપ સમભાવથી સહન કરવાનો નિશ્ચય કરી, કેવી રીતે સર્વ દુઃખ ખમીને ક્ષમાધર બન્યા, તેનું ટૂંકામાં વર્ણન કર્યું છે.
દશમી લોકસ્વરૂપ ભાવનામાં લેકને પુરુષ–આકાર વર્ણવી, ભુવનપતિ, વ્યંતર અને સાત નરકને અલેક, મધ્યલેકમાં અઢી દ્વીપ વગેરે અને ઊર્ધલેકમાં બાર દેવક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન અને તે ઉપર સિદ્ધશિલા છે એમ કલેકપ્રકાશક સર્વજ્ઞ, સર્વદેશી અને નિરુપમ કૈવલ્યજ્ઞાનીઓએ ભાખ્યું છે એમ સંક્ષિપ્ત વર્ણન કર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org