SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાબેધ ૮૩ તેના ઉત્તરમાં તે જ્ઞાનવીર મૃગાપુત્ર કહે છે: “વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવે કંઈયે દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતારૂપે અનંતવાર સહી છે, ભેગવી છે. મહાદુઃખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભેગવી છે. જન્મ, જરા, મરણ એ ભયનાં ધામ છે. ચતુર્ગતિરૂપ સંસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખે મેં ભગવ્યા છે..” એમ વિસ્તારથી પૂર્વ ભવે નરકમાં ભેગવેલાં દુઃખો ત્રાસ ઉપજાવે તેવી રીતે મૃગાપુત્રે કહી બતાવ્યાં ત્યારે તેનાં જનક–જનેતા એમ બેલ્યાં : “હે પુત્ર! જે તારી ઇચ્છા દીક્ષા લેવાની છે તે દીક્ષા ગ્રહણ કર; પણ ચારિત્રમાં રેગોત્પત્તિ વેળા વેદક કણ કરશે ? દુઃખનિવૃત્તિ કેણ કરશે? એ વિના બહુ દોહ્યલું છે.” મૃગાપુત્રે કહ્યું : “એ ખરું, પણ તમે વિચારે કે અટવીમાં મૃગ તેમ જ પંખી એકલું હોય છે, તેને રેગ ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે? જેમ વનમાં મૃગ વિહાર કરે છે, તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ, અને સંસદશ ભેદે શુદ્ધ સંયમને અનુરાગી થઈશ. દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ; તેમ જ મૃગચર્યાથી વિચારીશ. મૃગને વનમાં રેગને ઉપદ્રવ થાય છે ત્યારે તેનું વૈદું કેણ કરે છે?” કેણ તે મૃગને ઔષધ દે છે? કેણ તે મૃગને આનંદ, શાંતિ અને સુખ પૂછે છે ? કેણ તે મૃગને આહારજળ આણી આપે છે? જેમ તે મૃગ ઉપદ્રવમુક્ત થયા પછી ગહનવને જ્યાં સરેવર હોય છે ત્યાં જાય છે, તૃણપાણી આદિનું સેવન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy