SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા મહાપ્રવાસને વિષે અન્નજળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને સુધા–તૃષાએ કરીને દુઃખી થાય તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય; જન્મ, જરાદિકની પીડા પામે. મહાપ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્નજળાદિક લે તે પુરુષ ક્ષુધાતૃષાથી રહિત થઈ સુખને પામે, એમ ધર્મને આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવરતાં સુખને પામે, અ૫ કર્મરહિત હય, અશાતા વેદનીય રહિત હેય. હે ગુરુજને ! જેમ કેઈ ગૃહસ્થનું ઘર પ્રજવલિત થાય છે, ત્યારે તે ઘરને ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લેક બળતે દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરા મરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી (તમે આજ્ઞા આપ એટલે હું) તારીશ.” મૃગાપુત્રનાં વચન સાંભળીને શેકા થયેલાં એનાં માતાપિતા બોલ્યાં : “હે પુત્ર! આ તું શું કહે છે? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે; યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રમાં સમભાવ રાખ પડે છે, સંયતિને પિતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે; અથવા સર્વ જગત ઉપર સરખો ભાવ રાખવો પડે છે. એવું એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમ વ્રત, જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે...” એમ પાંચ મહાવ્રત, રાત્રિભૂજનત્યાગ, ક્ષુધા આદિ બાવીશ પરિષહ સહન કરવાં કેટલાં કઠણ છે તે દરેકના સ્વરૂપ સહિત મુશ્કેલીઓ દર્શાવી યૌવનવયને વિષે સંયમ તેને માટે દુષ્કર છે એમ માતાપિતા સાબિત કરે છે અને વૃદ્ધપણામાં ધર્મ આચરવા તેને ભલામણ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy