________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કેવળ અશુચિમય તે અશુચિમય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી.”
છઠ્ઠી સંસારભાવના વર્ણવી છે. તેમાં સંસારનું સ્વરૂપ જાણી તેમાંથી મુક્ત થયેલા બલશ્રી નામના રાજકુમાર જે મૃગાપુત્ર નામે પ્રસિદ્ધ છે તેમનું ચરિત્ર આપ્યું છે. “એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા
ગ્ય હતા.” “ઉત્તરાધ્યયન શાસ્ત્રીને આધારે આ ચરિત્ર સંસારનું સ્વરૂપ અને તેથી મુક્ત થવાને માર્ગ દર્શાવી ઊંડે વિચાર કરવા પ્રેરે તેવી રીતે વિસ્તારથી લખાયું છે. મહેલમાં રહીને નગરના ચોકમાં “મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શીલ અને મહા ગુણના ધામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે (મૃગાપુત્રે) જોયા..તે મુનિને મૃગાપુત્ર નીરખી નીરખીને જુએ છે. એ નિરીક્ષણ ઉપરથી તે એમ બેલ્યા જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે. અને એમ બેલતાં બોલતાં તે કુમાર શેનિક પરિણામને પામ્યા. મેહપટ ટળ્યું ને ઉપશમતા પામ્યા. જાતિસ્મૃતિજ્ઞાન પ્રકાશિત થયું. પૂર્વિત જાતિની સ્મૃતિ ઊપજવાથી તે મૃગાપુત્ર, મહારિદ્ધિના ભક્તા, પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. શીઘ્રમેવ તે વિષયને વિષે અણુરાચતા થયા; સંયમને વિષે રાચતા થયા. માતાપિતાની સમીપે આવીને તે બોલ્યા કે પૂર્વ ભવને વિષે મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં હતાં. નરકને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. તિર્યંચને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org