________________
ભાવનાબાધ
પરિણામ આ જ કે? છેવટે એ સઘળાંને વિયેગ જ કે? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે જે પાપ કર્યા છે તે મારા આત્માએ ભેગવવાં જ કે? તે પણ એકલાએ જ કે? એમાં કોઈ સહિયારી નહીં જ કે? નહીં, નહીં. એ અન્યત્વભાવવાળા માટે થઈને હું મમત્વભાવ દર્શાવી આત્માને અહિતેષી થઈ એને રૌદ્ર નરકને ભક્તા કરું એ જેવું કયું અજ્ઞાન છે? એવી કઈ જમણું છે? એ કર્યો અવિવેક છે? ત્રેસઠ શલાકા પુરુષમાને હું એક ગણાયે ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખેઈ બેસું, એ કેવળ અયુક્ત છે. એ પુત્રોને, એ પ્રમદાએને, એ રાજવૈભવને અને એ વાહનાદિક સુખને મારે કશે અનુરાગ નથી ! મમત્વ નથી!
વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિરપટ ટળી ગયું. શુક્લધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયાં !! મહા દિવ્ય અને સાહસ કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળજ્ઞાન પ્રગટ થયું.”
પાંચમી અશુચિભાવનામાં સનસ્કુમાર ચક્રવતીનું દ્રષ્ટાંત મોક્ષમાળામાં આપ્યું છે, તે છે. પ્રમાણશિક્ષામાં કાયા અશુચિનો ભંડાર છે એમ જણાવ્યું છે, છતાં મનુષ્યદેહને સર્વ દેહત્તમ કહેવા ચ છે તે શાને લીધે ? કે એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે મેધાવી પુરુષે નિરંતર એ માનવત્વને આમ જ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવદેહની ઉત્તમતા છે. તે પણ સ્મૃતિમાન થવું યથોચિત છે કે, તે દેહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org