________________
ભાવનાબેધ
અડવી જણાઈ. ભરતેશ્વરને તે વૈરાગ્યની ઉત્પત્તિનું નિમિત્ત બન્યું અને કેવી વિચારણાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ તેનું આબેહૂબ ચિત્ર આપ્યું છે :
“અહોહો ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની, એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધે; વિપરીત દેખાવથી અભ્યતા અને અડવાપણું બેદરૂપ થયું. અશોભ્ય જણાવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ ઠર્યું કે? જે વીંટી હેત તે તે એવી અશોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી; એ આંગળી વડે આ હાથે શેભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કેની ગણું? અતિ વિસ્મયતા! મારી આ મનાતી. મનેહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ–માણિયાદિના અલંકાર અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યા. એ કાંતિ મારી ત્વચાની શેભા કરી, એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે, અહોહો ! આ મહા વિપરીતતા છે! જે શરીરને હું મારું માનું છું તે શરીર ને માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શેભે છે. ત્યારે શું મારા શરીરની તે કંઈ શેભે નહીં જ કે ? રુધિર, માંસ અને હાડને જ કેવળ એ માળો કે? અને એ માળે તે હું કેવળ મારે માનું છું. કેવી ભૂલ! કેવી ભ્રમણા ! અને કેવી વિચિત્રતા છે! કેવળ હું પરપુદ્ગલની શોભાથી શેણું છું. કેઈથી રમણિકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું ? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org