SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાબેધ ઉપદેશબીજ પાવા, અંતઃકરણ કેમલ કરવા આવા ગ્રંથનું પ્રયજન છે. તત્ત્વજ્ઞાન તેમ જ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખ તરંગ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્ય સાધને શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે, તેને સ્વલ્પતાથી કિંચિત્ તત્વસંચય કરી, તેમાં મહાપુરુષનાં નાનાં નાનાં ચરિત્રો એકત્ર કરી આ ભાવનાબધ અને આ મેક્ષમાળાને વિભૂષિત કરી છે તે-વિદગ્ધમુખમંડન ભવતુ.” પ્રથમ અનિત્ય ભાવનામાં “ભિખારીને ખેદ નામને મોક્ષમાળાને પાઠ મૂકી છેવટે પ્રમાણશિક્ષા આપી સ્વમ અને સંસાર બને શકમય અને ચપળ સાબિત કરી બુદ્ધિમાન પુરુષે આત્મશ્રેય શોધે છે એમ ઉપદેશ્ય છે. બીજી અશરણ ભાવનાના દ્રષ્ટાંતમાં પણ મોક્ષમાળામાંની અનાથી મુનિ અને શ્રેણિક રાજાની કથા આપી “સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણતાને ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવે, અંતે એ જ મુક્તિના કારણરૂપ છે.” એમ દર્શાવ્યું છે. ત્રીજી એકત્વ ભાવના વર્ણવી છે. તેમાં નમિરાજર્ષિ અને વિપ્રના વેષે આવેલા શકેદ્રને સંવાદ આપે છે. ઈન્દ્ર અનેક રીતે પરીક્ષા કરી જોઈ પણ નમિરાજર્ષિને વૈરાગ્ય અને સુદ્રઢતા જોઈને તે આનંદ પામે તથા સ્તુતિ કરવા લાગ્યા : “હે મહાયશસ્વી ! મોટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જી. આશ્ચર્ય, તે અહંકારને પરાજય કર્યો. આશ્ચર્ય, તે માયાને ટાળી. આશ્ચર્ય, તે લેભ વશ કીધો. આશ્ચર્ય, તારું સરળપણું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy