________________
મોક્ષમાળા બાલાવબોધ
જે જે હું કહી ગયે તે તે કંઈ કેવળ જૈનકુળથી જન્મ પામેલા પુરૂષને માટે નથી, પરંતુ સર્વને માટે છે, તેમ આ પણ નિઃશંક માનજે કે હું જે કહું છું તે અપક્ષપાત અને પરમાર્થબુદ્ધિથી કહું છું.
તમને જે ધર્મતત્ત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે સ્વાર્થબુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રયજન નથી. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મતત્ત્વ બધી અધોગતિને શા માટે સાધું? વારંવાર હું તમને નિગ્રંથના વચનામૃતે માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્વમાં પરિપૂર્ણ છે, તે છે.જૈનમતપ્રવર્તકોએ મને કંઈ ભૂરશી દક્ષણ આપી નથી, તેમ એ મારા કંઈ કુટુંબ પરિવારી પણ નથી કે એ માટે પક્ષાપાતે હું કંઈ પણ તમને કહું. તેમજ અન્ય મત પ્રવર્તકે પ્રતિ મારે કંઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બન્નેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે, પ્રિય ભવ્ય ! જૈન જેવું એક્ટ પૂર્ણ અને પવિત્ર દર્શન નથી; વીતરાગ જે એકે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તે એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સે....આમ કહેવાનું કારણ શું? તે માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા.”
“પરંતુ જગત મેહધ છે, મતભેદ છે ત્યાં અંધારું છે, મમત્વ કે રાગ છે ત્યાં સત્ય તત્ત્વ નથી..
હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વરહિતની અને ન્યાયની છે. તે એ છે કે ગમે તે દર્શનને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org