________________
શ્રી
રાજચંદ્ર જીવનકળા
બે હજાર પુરુષે પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તે આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષે પણ નહીં હશે....એ નવતત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિઓને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરુગમતાથી એનું જ્ઞાન વિશેષ વૃદ્ધિમાન કરવું; એથી તેઓના પવિત્ર પંચ મહાવ્રત દૃઢ થશે; જિનેશ્વરનાં વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે; મુનિવઆચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યકત્વને ઉદય થશે, પરિણામે ભવાંત થઈ જશે.” “નવ તત્વ એટલે તેનું એક સામાન્ય ગૂંથનયુક્ત પુસ્તક હોય તે નહીં, પરંતુ જે જે સ્થળે જે જે વિચારે જ્ઞાનીઓએ પ્રણીત કર્યા છે તે તે વિચારે નવતત્વમાંના અમુક એક બે કે વિશેષ તત્ત્વના હોય છે.”
એક સમર્થ વિદ્વાન સાથે શ્રીમને નિગ્રંથ પ્રવચનની ચમત્કૃતિ વિષે વાતચીત થયેલી, તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કે ઉપજોવા” “વિઘવા “ધુવેવા–એ લબ્ધિનાથને અનુસાર જીવ ઉત્પન્ન થાય છે, જીવ નાશ પામે છે, અને જીવ નિત્ય કે ધ્રુવ છે એમ હા પાડીને પછી જીવ ઉત્પન્ન નથી થતું, જીવ નાશ નથી પામતે અને જીવ ધ્રુવ નથી એમ હા પાડતાં અઢાર દોષ આવે છે એમ તે વિદ્વાને વિસ્તારથી જણાવ્યું તેની સ્યાદૂવાદ દ્વારા કેવી રીતે “હા” અને “ના” પાડતાં છતાં કોઈ દોષ ન આવે તે વિષે સૂક્ષ્મ ચર્ચા છેડા વિચારે પણ સમજાય તેવી સરળતાથી ત્રણ ચાર પાઠમાં કરી છે. અને ન્યાયનાં ગ્રંથમાં પ્રવેશ કરવા યોગ્ય સંસ્કારો વાચક અને શ્રોતાને પડે તે શૈલીથી તે પાઠ લખાયા છે. છેવટે, તત્ત્વાવબોધન પાઠે કેવા ઉદેશથી લખ્યા છે તે પિતે જણાવે છે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org