________________
મેક્ષમાળા બાલાવબેધ
“પંચમકાળ” નામના પાઠમાં આ કળિકાળમાં કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે પુરુષોએ કેટલાક વિચારે જણાવ્યા છે. તે અનુસાર પ્રત્યક્ષ આપણી નજરે જણાય તેવી પડતીની નિશાનીઓ ગણાવી છે. છેવટે જણાવ્યું છે કે “પંચમ કાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષ તત્ત્વને ગ્રહણ કરશે; કાળાનુસાર ધર્મતત્ત્વશ્રદ્ધા પામીને ઉચ્ચગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે; નિગ્રંથ પ્રવચન, નિગ્રંથ ગુરુ ઇત્યાદિ ધર્મતત્વ પામવાનાં સાધન છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે.”
તત્વાવબેધ” વિષે ૧૭ પાઠ લખી તેમાં નવ તનું સ્વરૂપ જાણવાની જરૂર જણાવતાં લખે છે: “નિગ્રંથપ્રવચનને જે જે સૂમ બધ છે, તે તત્વની દ્રષ્ટિએ નવ તત્ત્વમાં સમાઈ જાય છે, તેમજ સઘળા ધર્મમતિના સૂક્ષ્મ વિચાર એ નવતત્ત્વવિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અહંત ભગવાનને પવિત્ર બંધ છે. એ અનંત શક્તિઓ ત્યારે પ્રફુલ્લિત થઈ શકે કે જ્યારે નવતત્વ વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય.”
વર્તમાન સ્થિતિ વર્ણવતાં તેઓ જણાવે છે
મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા, જેનું પરિણામ દ્રષ્ટિગોચર છે. વર્તમાન શેપમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અબજની ગણાઈ છે, તેમાં સર્વ ગચ્છની મળીને જૈનપ્રજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે શ્રમણોપાસક છે. એમાંથી હું ધારું છું કે નવતત્વને પઠનરૂપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org