________________
મામાળા બાલાવબોધ રોગ ટાળે. એ સમર્થતા ન હોય તે આ રે. ભલે રહ્યો... મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ કર્યું છે, ત્વચાથી માત્ર જેની મનેહરતા છે, તે કાયાને મેહ ખરે! વિશ્વમ જ છે!”
ગ” આત્માને ઉજજવળ કરવા માટે બત્રીસ બોલ આ પાઠમાં જણાવ્યા છે. એકેક વેગ અમૂલ્ય છે. સઘળા સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે. જેમકે મમત્વને ત્યાગ કર, ગુપ્ત તપ કરવું, સમકિત શુદ્ધ રાખવું, શુદ્ધ કરણમાં સાવધાન થવું, આપત્તિ કાળે પણ ધર્મનું દ્રઢત્વ ત્યાગવું નહીં, મરણકાળે આરાધના કરવી ઈત્યાદિ. - “મેક્ષસુખ” નામના પાઠમાં શાસ્ત્રાધારે એક કથા લખી છે: “ભગવાનને ગૌતમસ્વામીએ મોક્ષના અનંત સુખ વિષે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું ઃ ગૌતમ! એ અનંત સુખ! હું જાણું છું; પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કઈ પણ વસ્તુ કે સુખ નથી.”
એક ભીલે રાજાને વનમાં પાણી પાયાથી તેના પર પ્રસન્ન થઈને રાજનગરમાં તેને રાજા લઈ ગયે અને અનેક વસ્તુઓ ખાવાની, જોવાની, સુંઘવાની તેને આપી, પણ સગાવહાલાં સાંભરતાં તે છાનેમાને વનમાં જતો રહ્યો, ત્યાં તેનાં સગાંએ પૂછ્યું: તું કયાં હતી?
ભીલે કહ્યું: “બહુ સુખમાં. ત્યાં મેં બહુ વખાણવાલાયક વસ્તુઓ જોઈ.”
કુટુંબીઓએ ફરી પૂછ્યું: “પણ તે કેવી? તે તે અમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org