________________
१४
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા સંસારથી જે ત્યાગી છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. | સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેઓ અપ્રતિબંધપણે વિચરે છે, શત્રુ-મિત્ર પ્રત્યે જે સમાન દ્રષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમને કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેન્દ્રિય અને જિતકષાય તે નિર્ગથે પરમ સુખી છે. - સર્વ ઘનઘાતી કર્મને ક્ષય જેમણે કર્યો છે, ચાર કર્મ પાતળાં જેનાં પડ્યાં છે, જે મુક્ત છે, જે અનંતજ્ઞાની અને અનંતદશી છે તે તે સંપૂર્ણ સુખી જ છે. મેક્ષમાં તેઓ અનંત જીવનનાં અનંત સુખમાં સર્વ-કર્મ-વિરક્તતાથી વિરાજે છે.
આમ સપુરુષોએ કહેલે મત મને માન્ય છે. પહેલે તે મને ત્યાજ્ય છે. બીજો હમણ માન્ય છે અને ઘણે ભાગે એ ગ્રહણ કરવાને માટે બે છે. ત્રીજે બડુ માન્ય છે. અને થે તે સર્વમાન્ય અને સચ્ચિદાનંદસ્વરૂપ જ છે.
જે વિવેકીઓ આ સુખ સંબંધી વિચાર કરશે તેઓ બહ તત્ત્વ અને આત્મશ્રેણિની ઉત્કૃષ્ટતાને પામશે. એમાં કહેલાં અપારંભી, નિરારંભી અને સર્વમુક્ત લક્ષણે લક્ષપૂર્વક મનન કરવા જેવાં છે. જેમ બને તેમ અલ્પારંભી થઈ સમભાવથી જનસમુદાયના હિત ભણી વળવું. પોપકાર, દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિર્ચથતા વિષે તે વિશેષ કહેવારૂપ જ નથી. મુક્તાત્મા તે અનંત સુખમય જ છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org