________________
એક્ષમાળા બાલાવબેધ નથી જ. અનેક પ્રકારનાં આરંભ અને કપટ મારે સેવવાં પડ્યાં હતાં. આપ જે ધારતા હો કે દેવોપાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તે તે જે પુણ્ય ન હોય તે કઈ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહારંભ, કપટ અને માન પ્રમુખ વધારવા તે મહાપાપનાં કારણ છે; પાપ નરકમાં નાંખે છે. પાપથી આત્મા, પામેલે મહાન મનુષ્યદેહ એળે ગુમાવી દે છે. લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભેગવવી તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય... જેમ આપની ઈચ્છા હોય તેમ કરે, આપ વિદ્વાન છે, હું વિદ્વાનને ચાહું છું. આપની અભિલાષા હોય તે ધર્મધ્યાનમાં પ્રસક્ત થઈ સહકુટુંબ અહીં ભલે રહો.”
પછી પિતાને સામાન્ય વિચારે તે બ્રાહ્મણને કહે છે:
જેઓ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લેભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. તેને તે પૂર ઉપયોગ કે અધૂરે ઉપયોગ કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભેગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલે મનુષ્યદેહ એ નિર્મૂલ્ય કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે.
જેણે પિતાને ઉપજીવિકા જેટલાં સાધનમાત્ર અલ્પારંભથી રાખ્યાં છે, શુદ્ધ એક પત્નીવ્રત, સંતેષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે પુરુષને સેવે છે, જેણે નિર્ગથતાનો મરથ રાખે છે, બહુ પ્રકારે કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org