________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
પણ કઈ ખરે સુખી જણાય નહીં. છેવટે દ્વારિકાના એક મહા ધનાત્યને ત્યાં જઈ ચઢ્યો અને તેને સુખી જેઈ નિશ્ચય કરે છે કે હવે તપ કરીને જે હું મારું તે આ મહા ધનાત્ય જેવું જ સઘળું માગું, બીજી ચાહના કરું નહીં. એ વિચાર સાંભળી તે ધનાચે જણાવ્યું કે “મારે સિદ્ધાંત આવે છે કે જગતમાં કોઈ સ્થળે વાસ્તવિક સુખ નથી. જગત દુઃખથી કરીને દાઝતું છે. તમે મને સુખી જુએ છે પણ વાસ્તવિક રીતે હું સુખી નથી.” એમ કહી પિતાનું વૃત્તાંત તેને જણાવે છે, તેમાં સંસારની અનેક વિટંબનાઓમાં કેદ્યાવધિ ધનને નાશ થતાં થયેલાં દુઃખ; કુટુંબીઓને વિયેગનાં પડેલાં દુઃખ; ફરી પરદેશનાં દુઃખ વેઠી ધન કમાવા કરેલા પુરુષાર્થ, તેની સાથે કરવાં પડેલાં પાપ અને સહન કરેલાં દુઃખ; કુટુંબીઓના વિગ વડે વગર દમડીએ જાવે જે વખતે તે ગમે તે વખતની સ્થિતિ, અજ્ઞાન દ્રષ્ટિએ આંખમાં આંસુ આવે તેવી વર્ણવી જણાવ્યું કે “આ વખતે પણ ધર્મમાં લક્ષ રાખ્યું હતું. દિવસને અમુક ભાગ તેમાં રેકતે હતા, તે લક્ષમી કે એવી લાલચે નહીં, પરંતુ સંસારદુઃખથી એ તારનાર સાધન છે એમ ગણીને તને ભય ક્ષણ પણ દૂર નથી, માટે એ કર્તવ્ય જેમ બને તેમ કરી લેવું, એ મારી મુખ્ય નીતિ હતી. દુરાચારથી કંઈ સુખ નથી, મનની તૃપ્તિ નથી; અને આત્માની મલિનતા છે. એ તત્વ ભણું મેં મારું લક્ષ દોરેલું હતું.” પછી પિતાની સમૃદ્ધિ તથા વર્તમાન સુખ અને સદાચારના નિયમે બ્રાહ્મણને જણાવી કહ્યું : “હું બહુ વિચારી વિચારી વ્યાપાર વહીવટ કરતે હતે. તે પણ મારે આરપાધિ, અનીતિ અને લેશ પણ કપટ સેવવું પડ્યું નથી, એમ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org