________________
મોક્ષમાળા બાલાવબેધ એટલે તેણે જુદો જ રાહ કાઢ્યો. આમ અનેક મતમતાંતરની જાળ થતી ગઈ. ચાર પાંચ પેઢી એકને એક ધર્મ પાળે એટલે પછી તે કુળધર્મ થઈ પડ્યો. એમ સ્થળે સ્થળે થતું ગયું.”
“વેદ સિવાયના બીજા તેના પ્રવર્તકે, એમના ચરિત્રો, વિચાર ઈત્યાદિક વાંચવાથી અપૂર્ણ છે એમ જણાઈ આવે છે. વર્તમાનમાં જે વેદો છે તે ઘણું પ્રાચીન ગ્રંથે છે તેથી તે મતનું પ્રાચીન પણું છે. પરંતુ તે પણ હિંસાએ કરીને દૂષિત હેવાથી અપૂર્ણ છે. તેમજ સરાગીનાં વાક્ય છે એમ સ્પષ્ટ જણાય છે. "
જે પૂર્ણ દર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નીરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે. એને બેધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. કાળભેદ છે તે પણ એ વાત સૈદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, કિયાદિ એના જેવાં પૂર્ણ એક્કેએ વર્ણવ્યાં નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કટિઓ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિગતિ, નિદ્વાર, પ્રદેશ, કાળ, તેનાં સ્વરૂપ એ વિષે એ સૂમ બોધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા થાય... તેમાંના કેટલાક સિદ્ધાંત એવા સૂક્ષ્મ છે કે, જે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય તેવું છે..બહુ મનનથી સર્વ ધર્મમત જાણું પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે.”
સુખ વિષે વિચાર” બહુ મનન કરવા ગ્ય કથા છ પાઠમાં જી, મહાપુરુષના જીવનની છાપ જેમ વાંચક વર્ગ ઉપર અજબ પડે તેમ લખી છે. એક ગરીબ બ્રાહ્મણ ‘કેવું સુખ દેવ પાસે માગવું તે શોધવા પ્રવાસ કરી થાકી ગયે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org