SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા બધા અસત્ય, કુતર્કવાદી છે એમ માની લેગ્ય અગ્ય ખંડન કરે છે ત્યારે આપણે શું વિચાર કરવો? અનેક ધર્મના મતભેદનું કારણ શું? તેનું સમાધાન એમ છે કે “એ ધર્મમતવાળાઓની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચી ત્યાં સુધી તેમણે વિચાર કર્યા. અનુમાન, તર્ક અને ઉપમાદિક આધાર વડે તેઓને જે કથન સિદ્ધ જણાયું તે પ્રત્યક્ષરૂપે જાણે સિદ્ધ છે એવું તેમણે દર્શાવ્યું. જે પક્ષ લીધે તેમાં મુખ્ય એકાંતિક વાદ લીધે ભક્તિ, વિશ્વાસ, નીતિ, જ્ઞાન કે કિયા એમાંના એક વિષયને વિશેષ વર્ણવ્યો, એથી બીજા માનવાગ્ય વિષયે તેમણે દૂષિત કરી દીધા. વળી જે વિષયે તેમણે વર્ણવ્યા તે સર્વ ભાવભેદે તેઓએ કંઈ જાણ્યા નહતા, પણ પોતાની મહા બુદ્ધિ અનુસારે બહુ વર્ણવ્યા. તાર્કિક સિદ્ધાંત દ્રષ્ટાંતાદિકથી સામાન્ય બુદ્ધિવાળા આગળ કે જડભરત આગળ તેઓએ સિદ્ધ કરી બતાવ્યું. કીર્તિ, લેકહિત, કે ભગવાન મનાવાની આકાંક્ષા એમાંની એકાદિ પણ એમના મનની ભ્રમણા હોવાથી અત્યુઝ ઉદ્યમાદિકથી તેઓ જય પામ્યા. કેટલાકે શૃંગાર અને લહેરી સાધનોથી મનુષ્યનાં મન હરણ કર્યા. દુનિયા મહિનામાં તે મૂળ ડૂબી પડી છે એટલે એ લહેરી દર્શનથી ગાડરરૂપે થઈને તેઓએ રાજી થઈ તેનું કહેવું માન્ય રાખ્યું. કેટલાકે નીતિ તથા કંઈ વૈરાગ્યાદિ ગુણ દેખી તે કથન માન્ય રાખ્યું. પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાનરૂપ જ માની લીધા. કેટલાકે વૈરાગ્યથી ધર્મમત ફેલાવી પાછળથી કેટલાંક સુખશીલિયાં સાધનને બંધ બેસી દીધે. પિતાને મત સ્થાપન કરવાની મહાન ભ્રમણાઓ અને પિતાની અપૂર્ણતા ઇત્યાદિક ગમે તે કારણથી બીજાનું કહેલું પિતાને ન રુચ્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy