________________
મોક્ષમાળા બાલાવબોધ
૫૯
થવાની અને ભગવાને કહેલા માર્ગમાં અહોરાત્ર રહેવાની વૃત્તિ યાચી છે. અંતે પશ્ચાત્તાપથી કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છી છે. હજારે નરનારીઓ આ પાઠ મુખપાઠ કરી દરરોજ નિયમિતપણે પ્રાર્થના કરે છે, એ ઉત્તમ આ પાઠ છે.
વેરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે' એ પાઠમાં સત્ય ધર્મ તરફ વાંચનારનું લક્ષ કરાવવા કંઈક પરીક્ષક બુદ્ધિ જાગ્રત થાય તે પ્રકારે ટૂંકામાં અસરકારક ઉપદેશ છે. “અનેક ધર્મમતે આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે, જ્યાં સ્ત્રીઓ ભેગવવાનો ઉપદેશ કર્યો હોય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હેય, રંગ, રાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું તત્ત્વ બતાવ્યું હોય ત્યાંથી આપણે આત્માની સત્ શાંતિ નથી. કારણ એ ધર્મમત ગણીએ તે આ સંસાર ધર્મમતયુક્ત જ છે.... તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાને ક્ષય વિશુદ્ધ ભાવજળથી હવે જોઈએ. અહંતના કહેલાં તત્ત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ધનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જે વૈરાગ્ય જળ ન હોય તે બધાં સાહિત્ય કંઈ કરી શકતાં નથી, માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અહિતપ્રણીત તત્વ વૈરાગ્ય જ બોધે છે, તે તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું.”
“ધર્મના મતભેદ” વિષે ત્રણ પાઠમાં પ્રશ્નોત્તર રૂપે પરીક્ષક બુદ્ધિ કેળવાય તેવી ચર્ચા કરેલી છે. વેદાંત, સાંખ્ય, બૌદ્ધ, ન્યાયમત, વૈશેષિક, શક્તિપંથ, વૈષ્ણવ, ઈસ્લામી, કાઈટ મતને ઉપદેશક પિતાનું કહેલું સત્ય અને બાકીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org