SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા શરીરની મલિનતાને અશુચિ કહેવી એ વાત કંઈ વિચારપૂર્વક નથી. શરીર પેાતે શાનું બન્યું છે એ તેા વિચાર કરે. રક્ત, પિત્ત, મળ, મૂત્ર, શ્લેષ્મના એ ભંડાર છે. તે પર માત્ર ત્વચા છે; છતાં એ પવિત્ર કેમ થાય ? વળી સાધુએ એવું કંઇ સંસારી કર્તવ્ય કર્યું ન હેાય કે જેથી તેઓને સ્નાન કરવાની આવશ્યકતા રહે...નાહવાથી અસંખ્યાતા જંતુના વિનાશ, કામાગ્નિની પ્રદીપ્તતા, વ્રતના ભંગ, પરિણામનું બદલવું, એ સઘળી અશુચિ ઉત્પન્ન થાય છે અને એથી આત્મા મહા મિલન થાય છે. પ્રથમ એના વિચાર કરવા જોઇએ....આત્માની મિલનતા એ જ અશુચિ છે....સમજણપૂર્વક અશુચિ ટાળવી જ જોઈએ. જૈન જેવું એક્કે પવિત્ર દર્શન નથી; અને તે અપવિત્રતાના ધ કરતું નથી. પરંતુ શૌચાશૌચનું સ્વરૂપ સમજવું જોઈએ.’’ ૫૮ સામાન્ય નિત્યનિયમ'' પાડમાં આખા દિવસમાં ધર્માત્મા ગૃહસ્થે પાળવા યોગ્ય સદાચાર ટૂંકામાં જણાવ્યા છે. તે સૂક્ષ્મ વિચારથી અને તેમ પ્રવર્તવાથી એ વિશેષ મંગળદાયક થશે.' ક્ષમાપના” એ ગદ્યપ્રાર્થનાના પાઠ છે. દરાજ આત્માથી જીવે તે પાઠ ભણવા ચેાગ્ય છે. તેમાં પેાતાના દેષા અત્યંત લઘુતાથી ભગવાનની સમક્ષ રજૂ કરી પોતાનું અનાથપણું દર્શાવ્યું છે તથા ભગવાનનું, ભગવાને કહેલા ધર્મનું અને તેમના મુનિનું શરણુ ગ્રહણ કરી, સર્વ પાપથી મુક્ત થવાની અભિલાષા અને પાપના પશ્ચાત્તાપ કરી, સૂક્ષ્મ વિચારથી ઊંડાં ઊતરી ભગવાનના સ્વરૂપના વિચારથી પેાતાના સ્વરૂપની ખાતરી કરી, ભગવાને કહેલાં તત્ત્વામાં નિઃશંક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy