________________
૫૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
ક્રિયામાં કેટલું માહાભ્ય છે તે જણાવી છેવટે ભલામણ કરી છે કે જેમ બને તેમ પ્રતિકમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું.
ભિખારીને ખેદ” નામની વાર્તા બે પાઠમાં આપી, સ્વપ્ન સમાન આ સંસાર અનિત્ય અને ચપળ છતાં મેહાંધ પ્રાણીઓ તેમાં સુખ માને છે પણ પરિણામે ખેદ, દુર્ગતિ અને પશ્ચાત્તાપ પામે છે એવી શિખામણ આપી છે. તથા આત્મા અવિનાશી, અખંડ અને નિત્ય છે એ ઉપદેશ કર્યો છે.
“અનુપમ ક્ષમા” નામના પાઠમાં સમભાવથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે એ દર્શાવવા કૃષ્ણ વાસુદેવના નાના ભાઈ ગજસુકુમારની ઉત્તમ ક્ષમાની કથા આપી છે. છેવટે જણાવ્યું છે કે “તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વભાવમાં આવવું જોઈએ; અને તે આવ્યો તે મેક્ષ હથેળીમાં જ છે.”
“રાગ” નામના પાઠમાં ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થવામાં અટકાવનાર, ભગવાન મહાવીરનાં અંગોપાંગ, વર્ણ, વાણું, રૂ૫ ઈત્યાદિ પરને મેહ હતે એ વિષે કથાને પ્રસંગ જણાવી, સંસાર ઉપર પામર પ્રાણીઓને રાગ અનંત દુઃખનું કારણ દર્શાવી છેવટે નિર્ણય કર્યો છે : “જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ છે.”
સામાન્ય મનોરથ' નામના કાવ્યમાં સ્વરૂપના વિચાર સહિત બાર વ્રત અંગીકાર કરી જ્ઞાન, વિવેક, વિચારની વૃદ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org