________________
મેક્ષમાળા બાલાવબેધ
૫૩ બ્રહ્મચર્યના પ્રભાવથી શૂળી ફીટીને તેનું ઝળહળતું સોનાનું સિંહાસન થયું એ કથા આપેલી છે.
પછીના પાઠમાં બ્રહ્મચર્ય વિષે સુંદર કાવ્ય છે. તેની છેલ્લી કડી :
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન !”
નમસ્કાર-મંત્ર” પાઠમાં પંચપરમેષ્ઠીનાં નામ સહિત પાંચેય પૂજ્ય પદના સ્મરણથી તેમના સ્વરૂપ, ગુણ આદિને વિચાર થતાં આત્મકલ્યાણ થાય છે વગેરે કારણે આપીને એ મંત્રને અવશ્ય કરીને વિમળભાવથી જાપ કરવો એવી ભલામણ કરી છે.
“અનાનુપૂર્વી” પાઠમાં પિતા-પુત્રના સંવાદરૂપે નમસ્કારમંત્રમાં ચિત્ત એકાગ્ર કરી નિર્જરા કરવાના સાધન તરીકે “અનાનુપૂવીના કણકેવાળી નાની ચોપડીને જેને ઉપયોગ કરે છે તેને પરમાર્થ સમજાવ્યો છે.
“સામાયિક વિચાર” ત્રણ પાઠમાં વિસ્તારથી જણાવ્યા છે. સામાયિક એટલે સમભાવથી ઉત્પન્ન થતે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મેક્ષમાર્ગને લાભ, એવો અર્થ જણાવી દશ મનના, દશ વચનના, અને બાર કાયાના એમ બત્રીસ દેના અર્થ બે ભાગમાં જણાવી, ત્રીજા ભાગમાં નિર્દોષ સામાયિક વિધિપૂર્વક કરવા સવિસ્તર સૂચના સહિત પ્રેરણા કરી છે.
પ્રતિકમણ વિચાર” પાઠમાં જે જે દોષ થયા હોય તે એક પછી એક અંતરાત્માથી જોઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરી તે દોષથી પાછું વળવું તેનું નામ પ્રતિક્રમણ કહેવાય છે, એ અર્થ જણાવી રૂઢિ માર્ગે થતી જૈનેની આ આવશ્યક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org