________________
પર
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા એ જ ધર્મનું સ્વરૂપ છે એ વિષે અનેક ધર્મોમાં વર્ણન હેવા છતાં દયાનું સૂફમ સ્વરૂપ મહાવીર ભગવાને નિરૂપણ કર્યું છે અને તેના અનુયાયીઓ ચાહીને જીવ હણવાની લેશ ઈચ્છા કરતા નથી તેનું કારણ ખરું ધર્મતત્ત્વ કે તેની શ્રદ્ધા કે તેને શેડો અંશ છે, વગેરે પ્રથમ ભાગમાં જણાવી બીજા ભાગમાં શ્રેણિક રાજાના માંસાહારી સામતને માંસાહારને ત્યાગ કરાવે તેવી બુદ્ધિશાળી અભયકુમાર પ્રધાને જેલી ઉત્તમ યુક્તિની કથા આપેલી છે, અને એવી શુભેચ્છા દર્શાવી છે “એમ જ તત્વબોધિને માટે યૌક્તિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદીઓને શિક્ષા આપવાને વખત મળે તે આપણે કેવા ભાગ્યશાળી !”
પ્રત્યાખ્યાન એટલે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એમ તત્વથી સમજી હેતુપૂર્વક નિયમ કરે. નિયમ પાળવાની પ્રતિજ્ઞાથી મનને શુભ રાહમાં પ્રવર્તાવવાની શક્તિ પ્રાપ્ત થાય છે. તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી બને છે વગેરે લાભ દર્શાવી, નિયમરહિત દશામાં પાળેલા સદાચાર કેવા શિથિલ : હોય છે તેની સમજ “પ્રત્યાખ્યાન” પાઠમાં આપી છે.
વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે? એ પાઠમાં શ્રેણિક રાજાએ વિદ્યા લેવા ચંડાળને સિંહાસન પર બેસાડી પતે સામા ઊભા રહ્યા ત્યારે ચંડાળ પાસેથી વિદ્યા પ્રાપ્ત થઈ એ વિસ્તૃત કથા દ્વારા વિનય તત્વ પામવામાં પ્રથમ જરૂરને ગુણ જણાવ્યું છે.
“સુદર્શન શેઠ” નામના તેત્રીસમા પાઠમાં એક પત્નીવ્રત પાળનાર સુદર્શન શેઠના ઉપર મેહ પામેલી અભયા રાણીએ તેને ચળાવવા કરેલા સર્વ પ્રયત્ન વ્યર્થ થયા ત્યારે તેના ઉપર આરોપ મૂકી તેને ફાંસીએ ચઢાવવાને હુકમ કરાવ્યું, પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org