SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ માક્ષર બાલાવબાધ લોર્ડ બેકનના નિબંધની સ્મૃતિ કરાવે તે “સત્ય” વિષે પાઠ છે તેમાં વસુરાજા અસત્ય બલવાથી અર્ધગતિ પામે તેની કથા પણ આપી છે. સત્સંગ વિષે જે નિબંધના રૂપમાં લખાયું છે તેવું અંગ્રેજી સાહિત્યમાં કયાંય પણ મળી શકે તેવું નથી. પરિગ્રહને સંકેચવો” એ વિષે બહુ અસરકારક અને વિચારવા ગ્ય સૂચનાઓ સહિત સુભૂમ ચકવતીનું દ્રષ્ટાંત આપી પરિગ્રહની અનિષ્ટતા દર્શાવી છે તથા પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપને પિતા છે એમ સાબિત કર્યું છે. તત્ત્વ સમજવું” એ પાઠમાં પિપટ પેઠે મુખપાઠે શાસ્ત્રો કરે પણ અર્થ ન સમજે તે ઉપર હાસ્યોત્પાદક દ્રષ્ટાંત સાથે તત્ત્વવિચાર કરનારને સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદ્ભૂત ફળ થાય છે તે વિષે અતિ મહત્વની સૂચના કરી છે. ના” વિષેના પાઠમાં ગૃહસ્થ ગૃહકાર્યાદિમાં કાળજી રાખીને કામ કરવાથી ઘણું જીવહિંસા બચે છે, તે ઉપરાંત આ લેકમાં અસ્વચ્છતા, અગવડ, અનારેગ્યતા આદિ દૂર થાય છે અને પરલોકમાં દુઃખદાયી મહાપાપનાં ફળ ભેગવવાં પડતાં નથી, ઈત્યાદિ અનેક વ્યવહારુ સૂચનાઓ સહિત ટૂંકામાં ઘણું લખ્યું છે. “રાત્રિભેજન”ના પાઠમાં રાત્રિભેજનને નિષેધ ધર્મશાસ્ત્રમાં અને આયુર્વેદ વગેરે વેદકે શાસ્ત્રોમાં કેમ કરેલે છે તેનાં કારણો આપી “ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહ૬ ફળ છે' એ જિનવચનનું સમર્થન કર્યું છે. સર્વ જીવની રક્ષા” વિષે બે પાઠ લખ્યા છે. “દયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy